________________
મહાયાત્રા
૦૨૭
ઉપાશ્રયમાં પૂ. આચાર્ય ભગવંતાદિ ચતુર્વિધ સંઘે બપોર પછી વિધિપૂર્વક દેવવંદન કર્યું. ત્યાં સુધીમાં અંતિમ યાત્રામાં ગયેલાં ગૃહસ્થ આવી પહોંચ્યા. પૂ. શ્રીનંદનસૂરિજી મહારાજે તેઓ સૌને મોટી શાન્તિને શાન્તિદાયક પાઠ સંભળાવે.
પછી પૂજ્યશ્રીના સ્વર્ગગમનના સ્થાને સુંદર દેરી બનાવવાનો નિર્ણય લેવાયે. મહુવા સંઘે પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવાનો નિર્ણય લીધો.૧ બાદ સૌ વિખરાયાં.
અત્યાર સુધી ક્રિયામાં રત રહેલાં પૂ. મુનિવર્યો હવે નિવૃત્ત થયાં. કાર્યવ્યગ્રતાને કારણે મહાપરાણે અવરોધાયેલાં આંસુના બંધ હવે તૂટી ગયાં.
સમતાના જીવનવ્રતના પાલનહાર એ મુનિભગવંતે આ શોકના ને અશ્રુના વેગને રોકવા મહેનત કરી રહ્યાં હતાં. પણ રે ! જ્યાં એ જીવનવ્રતના દાતા, અને પિતાના તુચ્છ જીવનના ઉદ્ધારક ગુરુ ભગવંત જ જ્યારે ચિરવિરહ કરાવીને ચાલ્યાં ગયાં, ત્યારે એ વેગ શું અટકે ?
ગુરુ ભગવંત વિનાને ઉપાશ્રય જાણે ખાવા ધાતે હતે.
ઉપાશ્રય તે ઠીક, પણ હે શાસનદેવ ! આ તપાગચ્છનું શું થશે ? અનાથ બનેલાં એને સાચે અધિનાયક હવે કેણ બનશે?
આ સવાલનો જવાબ માંગતે કોઈ ભક્તજન આર્તસ્વરે વિલપી રહ્યો હતે – “તપગચ્છ થશે અનાથ, શું ખાઈ ધીંગે ધણું ?
ઘો બીજે જિનરાજ, મધુમતીના એ લાલસમ...” ૧. મહુવા સંઘે આ મહત્સવ કા. શુ. ૬ થી ૧૪ સુધી ઉજવ્યો.
નોંધ – સં. ૨૦૦૬ના ફાગણમાસમાં થયેલા પ્રતિષ્ઠા-ઉત્સવ વખતે પૂજ્યશ્રીના અંતિમ સંસ્કારની ભૂમિમાં ઉત્તમ સ્મારક બનાવવાનો શ્રીસંધને વિચાર થતાં, ત્યાં શ્રીશાન્તિનાથ પ્રભુનો શિખરબંધી પ્રાસાદ બંધાવવાનો નિર્ણય લેવાયો. એમાં પૂજ્યશ્રીની ચરણપાદુકા પણ પધરાવવાનું નક્કી થયું. એ પ્રાસાદ તૈયાર થયે સં. ૨૦૧૫માં એને અંજનશલાકા--પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા-સંઘે ઘણાં ઉમંગથી કર્યો. જો કે પ્રાસાદ બંધાયા પહેલાં પણ સં. ૨૦૧૩માં ત્યાં યાત્રિકોને દર્શન માટે પૂજ્યશ્રીની પાદુકા વિરાજમાન કરેલી. એ પાદુકામાંથી અનેક વાર અમીઝરણું થતાં. પ્રતિષ્ઠા પછી પણ એ અમીઝરણાં અવારનવાર થતાં જ રહેતાં. પૂજયશ્રીના સ્વર્ગગમન-સ્થાને પણ શ્રીસંધના આદેશથી સત ફૂલચંદભાઈ છગનલાલે સુંદર કરી બંધાવી, તેમાં ચરણપાદુકા પધરાવ્યા. આ પગલાંમાંથી વર્ષમાં કેટલીય વાર અમીઝરણું વ. ચમત્કારો થતાં જ રહે છે. જે પૂજ્યશ્રીના મહાન સૌભાગ્ય અને ઉચ્ચગતિના સૂચક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org