________________
૧૩૪
શાસનસમ્રા -
ભાવનગરથી શેઠ અમરચંદ જસરાજ, ખંભાતથી શેઠ પોપટભાઈ અમરચંદ, ખેડાથી શેઠ ભાઈલાલભાઈ અમૃતલાલ અને બોટાદથી લેત છગનલાલ મૂળચંદ વગેરે ગૃહસ્થ આવ્યા હતા. ટ્રેનની અગવડ છતાં ફક્ત અમદાવાદથી જ સુમારે છસ્સ (૧૦૦) જૈન બંધુઓ આવ્યા હતા. અષાડ સુદ ૬-૭ ને રોજ ગણીપદ આપવાની અને શુદ ૯-૧૦ ને રજ અનુ
ગાચાર્ય (પંન્યાસ) પદ આપવાની ક્રિયા શાક્તવિધિ વિધાનપૂર્વક આચાર્ય મહારાજશ્રીએ નિર્વિઘ રીતે કરાવી હતી. અને તેમણે તેમજ શ્રી સંઘે અનુગાચાર્ય (પંન્યાસ) શ્રી દર્શનવિજયજી ગણ, અનુગાચાર્ય (પંન્યાસ) શ્રી ઉદયવિજયજી ગણી, તથા અનુગાચાર્ય (પંન્યાસ) શ્રી પ્રતા પવિજયજી ગણી તરીકે વાસક્ષેપ કરી જય જયકાર ધ્વનિથી તેમને વધાવી લીધા છે. આચાર્ય મહારાજશ્રીએ અનુગાચાર્યોને તથા મુનિઓને તે વખતે જે બોધ આપે છે તે ઘણે અસરકારક અને મનન કરવા યોગ્ય હતા. અનુયોગાચાર્યપદનું વિધાન થયા પછી જેઓને માટે ઘણું મોટા યુરોપીયન ઓફિસરોના સટફિકેટો છે, જેમનું નામ સંસારી અવસ્થામાં “બડીવાળા માસ્તર” તરીકે પ્રસિદ્ધ હતું, અને જેઓનું અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી જ્ઞાન ઘણું ઊંચું છે, જેઓ હાલ દીક્ષા લઈ મુનિ ચંદનવિજયજી મહારાજ તરીકે ઓળખાય છે, તેઓએ બાજઠ ઉપર બેસી ઈંગ્લીશમાં એક છટાદાર ટુંકું ભાષણ કર્યું હતું, અને બે હજારે જેનાથી વધાવી લેવામાં આવ્યું હતું. આખું અઠવાડિયું અઠ્ઠાઈ મહોત્સવ, પૂજા, પ્રભાવના, અને સ્વામિવત્સલ વિગેરે ધર્મકાર્યોથી ઘણું આનંદ સાથે પસાર થયું હતું. શુદ ૮ ના રોજ બડી ધામધૂમથી રથયાત્રાને વરઘડે કાઢવામાં આવ્યું હતું. તેમાં ચાંદીના રથમાં અને પાલખીમાં ભગવાન પધરાવવામાં આવ્યા હતા. સાથે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તથા સર્વ મુનિ મહારાજ હતા. તેની રચના એવી તે અપૂર્વ થઈ હતી કે-હજારો જેને ઉપરાંત અન્યદર્શની ભાઈઓએ પણ ઘણે ઉત્સાહ બતાવી અક્ષય પુણ્ય બાંધ્યું હતું.
વળી–આ મહાન માંગલિક પ્રસંગે એવો અદ્દભુત ધર્મ–પ્રભાવ દેખાયો હતો કે જ્યારે ગણપદ અને પંન્યાસપદની ક્રિયાની શરૂઆત થતી હતી કે તરત જ વર્ષાદ તદ્દન બંધ, અને ક્રિયા પૂરી થયા પછી વર્ષા શરૂ. ત્યારપછી વાજતે ગાજતે બહારની વાડીના દેરાસરે દર્શન કરવા જતી વખતે વર્ષાદ બંધ અને વરઘેડે ઉતર્યા પછી પાછા વર્ષાદ શરૂ. અને પાછા
કારશી જમતી વખતે વર્ષાદ બંધ, અને નોકરશી જમ્યા પછી વર્ષાદ શરૂ. આઠમને દિવસે મોટે વરઘોડો ચડ્યો હતો, ત્યારે પણ વર્ષાદ બંધ, અને વરઘોડો ઉતર્યા પછી વર્ષાદ શરૂ. આમ પાંચ દિવસ થવાથી જૈનધર્મના પ્રભાવ વિષે અન્ય દર્શનીઓએ પણ અતિ અનુમોદના કરી છે, અને અનેક જીવોએ બધિબીજની સન્મુખ દશા પ્રાપ્ત કરી છે.
- કપડવંજના શ્રીસંઘે બહારગામથી આવેલા જૈનભાઈની સરભરા કરવા માટે તન– મન અને ધનને ભોગ આપવામાં બિલકુલ કચાશ રાખી નથી. તેઓ બહારગામથી પધારેલા જેનભાઈઓની બરદાસ કરવાને કટિબદ્ધ થઈ રહ્યા હતા. ધન્ય છે આવી સ્વામીભક્તિ અને નિરભિમાનતાને. નગરશેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ, શેઠ શામળભાઈ નથુભાઈને વિવેકી અને બાહોશ મુનીમ મી. વલ્લભરામ, શેઠ જમનાદાસ કરમચંદ, શેઠ વાડીલાલ જમનાદાસ, શેઠ બાલાભાઈ દલસુખભાઈ શેઠ વાડીલાલ દેવચંદ, શેઠ ચીમનભાઈ બાલાભાઈ, શા. ન્યાલચંદ કેવળદાસ, તથા પ્રેમચંદભાઈ વિગેરે ગૃહસ્થ બહારગામથી આવેલા પશુઓને પિતાને ઘેર ઉતારી તેમની સરભરા કરવામાં ઉભા ને ઉભા રહ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org