________________
૧૫૦
શાસનસમ્રા ત્યારપછી પૂજ્યશ્રીએ પણ ત્યાંથી આગળ વિહાર કર્યો. ગામેગામ વિહરતાં તેઓશ્રી દાદાવી ગામે આવ્યા. ત્યાં પુનઃ પેલા વક્તાવરમલજીને ભેટે થઈ ગયે. તે મુનિજીની થેકડા સંબંધી શાસ્ત્રાર્થ કરવાની વૃત્તિ અહીંયા પુનઃ જાગૃત થઈ. પણ પૂજ્યશ્રી પાસે તેઓ પૂર્વવત્ ફાવ્યા નહિ. - દાદાવાથી વજેવા, નાડેલ, નાડલાઈ વિ. સ્થળે એ યાત્રા કરીને, તથા ઘારાવ-મૂછાળા મહાવીર વિ. મેટી પંચતીથીની યાત્રા કરીને પૂજ્યશ્રી સપરિવાર દેસૂરી પધાર્યા. અહીંયા વયેવૃદ્ધ મુનિશ્રી જીતવિજયજી મ. (બેટાદના-દેસાઈ કુટુંબના)ની તબીયત નરમ થતાં ચેડા દિવસ અહીં સ્થિરતા કરી.
અહીંથી દેસૂરીની નાળના રસ્તે ઉપરના–મેવાડના પ્રદેશમાં જવાય છે. તે તરફ જતાં ગઢોલ નામનું એક ગામ આવે છે. એ ગામ હિન્દુઓના ચારભુજા તીર્થ તરીકે વિખ્યાત છે. અહીં એક સુંદર દેરાસર છે. તેમાં શ્રીશાન્તિનાથ પ્રભુની અતિપ્રાચીન અને દર્શનીય પ્રતિમા હતી.
વિ. સં. ૧૯૬૭માં જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજતા હતા, ત્યારે –
આ ગઢબોલમાં એકવાર તેરાપંથી મુનિઓ આવ્યા, અને દેરાસરમાં (રંગમંડપ તથા ચેકીઓમાં) ઉતર્યા. આ પ્રદેશમાં તેરાપંથી સાધુઓની જમાવટ ઘણી હતી. કેઈ–મેઈક ગામમાં અમુક અમુક મંદિરમાગી શ્રાવકો રહેલા, બાકી તે બધા તેરાપંથી બની ગયા હતા. તેરાપંથી મુનિઓ લેકેને ઉપદેશ આપતાં કેઃ “પત્થરની ગાયના આંચળમાંથી દૂધ નીકળતું નથી, તેમ તે ગાયને ખીલા ઠોકે તે તેમાંથી લોહી પણ નીકળતું નથી. તેવી જ રીતે આ પાષાણુની પ્રતિમા તમને શું લાભ આપી શકે ?
અને તમારે ખાત્રી કરવી હોય તે--આ ભગવાનની પ્રતિમામાં ખીલા ઠોકીને જુઓ-કે આમાં જીવ છે કે નહિ ?”
આ અસદું ઉપદેશની ધારી અસર અજ્ઞાન છ પર થઈ અને તેમણે તે શ્રીશાન્તિનાથ પ્રભુની પ્રતિમાના અંગે અંગે લગભગ બાવન ઘા માર્યા. રે ! મૂર્તિભંજક મુસલમાન અને આ ક્રૂર કૃત્ય કરનાર લેકમાં કંઈ ફેર ખરો ?
તેરાપંથીઓના આ કાળા કૃત્યની ખબર મૂર્તિપૂજક ભાઈઓને પડતાં તેમના દુઃખને પાર ન રહ્યો. તેમનાં તન-મનમાં જાણે ચિરાડ પડી. પેલા તેરાપંથી સાધુઓ તે આ કત્ય કરાવીને ત્યાંથી જતા રહેલા. અને મંદિરમાગીએ નિર્બળ હેવાથી તેઓને કેઈરેકટેક પણ ન કરી શક્યા.
વળી-દેરાસરની ચાવીઓ પણ તેરાપંથી ગૃહસ્થ પાસે રહેતી હતી. આથી મંદિરમાગી શ્રાવકોએ ભેગા થઈને નજીકના ઘારાવ વિગેરે ગામના સંઘને પોતાના ગામની આ દુઃખદ ઘટના જણાવી.
સાંભળનાર ભાઈઓની તથા પંડ્યાઓની લાગણી આથી ઉશ્કેરાણી તે ઘણી. તેમને પણ અપાર ખેદ થયો. પણ–તેરાપંથીઓના જેર પાસે તેમનું ચાલે તેમ ન હતું. અને આની સામે ચાંપતાં–તાત્કાલિક પગલાં ન લેવાય, તે ભવિષ્યની મુશ્કેલી અકય હતી. એટલે ઘાણેરાવવાળા ભાઈઓ ગઢબલના ગૃહસ્થને સાથે લઈને અમદાવાદ આવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org