________________
આ યુગનું ભગીરથ કામઃ
૨૪૩
સંઘમાં પ્રતિક્રિન વિભિન્ન ગૃડસ્થા તરફથી નવકારશી થતી. એમાં રાજ લગભગ ૧૫૧૦ કે ૨૦ હજાર લેાકેા લાભ લેતાં. કહે છે કે–સંઘના મુખ્ય રસોડામાં સામાન્યતઃ હુ'મેશાં ૩૦૦ મણુ પકવાન્ન, ૪૦૦ મણુ ફરસાણુ, ૪૫ મણુ ભાત, ૨૦ મણ દાળ અને ૬૦ મણુ શાક, આટલી રસાઈ થતી હતી. ૮૦૦ મણ તા સરપણ (બળતણુ) જોઇતું હતું. લીખડીની નવકારશીમાં ૨૦૦૦૦ માણસાએ લાભ લીધા. અહીં સ ધ એ દિવસ રાકાયા,
મીજે દિવસે મહાજને ના. લીબડી-નરેશના પ્રમુખપદે એક મેળાવડા ચૈાજ્યા. એમાં સુશી`દાખાદના માજીસાહેબ શ્રીપતસિ`હુજી, આંખલિયાના કારભારી ત્રંબકલાલભાઈ વગેરે અનેક અધિકારીઓએ હાજરી આપી, આ મેળાવડામાં ના. મહારાજાએ સંઘવીજીને માનપત્ર આપ્યું. સ'ધવીજીએ ભારે નમ્રતાથી એને સ્વીકાર કરીને લીંબડીની પાંજરાપેાળ, એડિંગ વગેરે સંસ્થાઓમાં ઉદાર રકમનું દાન જાહેર કર્યુ. લીંબડીના સંઘમાં વ્હાણું પણ કર્યું.
લીમડીથી સ'ઘ ચુડા ગયા. ચુડાના ઠાકેાર સાહેબે તથા સંઘે સુંદર સ્વાગત-સન્માન કયુ". લીંબડીનરેશે તથા ચુડા-દરબારે પોતાના રાજ્યમાં સંઘ પધાર્યાં તે દિવસે કાયમ જીવદયા પાળવાના હુકમ જાહેર કર્યાં. આ પછી પૂજ્યશ્રીએ અસરકારક ઉપદેશ ફરમાવતાં સંઘ જે મહિનામાં આળ્યે, તે આખા મહિના જીવદયા પાળવાની જાહેરાત કરી.
સંઘ આગળ વધ્યા. સરવામાં સંઘવીજી તરફથી ઉપાશ્રય કરાવી આપવાનું જાહેર થયું. વીછીયા-જસદણ-આટકોટ વગેરે ગામે સથે પસાર કર્યાં. આગળ ગાંડલ આવતું હતું. પણુ ગાંડલના મહારાજાએ સંઘ પાસેથી જકાત લેવાનું નકકી કર્યું. આ વાત જાણતાં જ સંઘવીજીએ તત્કાલ નવા નિર્ણય લીધા. ગાંડલને પડતું મૂકીને ખારામાર વડીયા જવાનું જાહેર કર્યું. જો સ ંઘ જકાત ભરીને ગાંડલ જાય, તેા ભવિષ્યના સ યાત્રાસંઘા માટે જકાત ભરવાના ચીલે। ખુલ્લા થતા હતા, જે સર્વથા અનિચ્છનીય હતા. એ જ કારણે કા ક્રમમાંથી ગેાંડલ પડતુ મુકાયુ.
વડીયાના નાના સંઘ તથા ત્યાંના ઢાકારશ્રી સ ંઘને તન-મન-ધનની બધી સગવડ આપવા તૈયાર થયા. સંઘ પેાતાને ત્યાં પધારે, એ તેમને મન ઉલ્લાસ અને ઉમંગ વધારનારી વાત હતી. આ તરફ સ ંઘના ભવ્ય સ્વાગત માટે ગાંડલના જૈન સંઘ જ નહિ, પણ ત્યાંનુ મહાજન પણ ઘણું આતુર હતુ. મહાજને તૈયારી પણ સારી કરેલી. પણ સંઘ ગોંડલ નથી આવવાના એ જાણીને એને ઘણા ખેદ થયા. આવા મહાન્ સંઘ પાસે જકાતની માંગણી કરવી, એ એને ખૂબ અનુચિત જણાયું. ના.મહારાણી સાહેબા પણ એ વિચારને મળતા હતા. વળી એક જકાતને જ કારણે આવા માટે સઘ ગાંડલને ટાળીને જાય, એ મહાજન માટે અસહ્ય વાત હતી. એણે તરત જ પાતાના મહારાજાના નિ ય ફેરવવા માટે પ્રયાસે આદર્યાં. રાજાજીને સમજાવ્યા કે: “આ તા ગે ંડલની આબરૂના સવાલ છે. બધાંય રજવાડાઓએ સધને પ્રેમથી આવકાર્યા છે, અને સન્માન્યા છે. અરે ! આ વડીયા જેવી નાની ઠકરાત પશુ ગેાંડલનું નાક કપાતુ' જોઈને હરખાય છે, અને સંઘને પેાતાને ત્યાં લઈ જાય છે. આ પરિસ્થિતિમાં આપણી આબરૂને ખાતર પણ જકાતની વાત જવા દઈને સંઘને અહીં લાવવા જ જોઇએ.” મહાજનની વાત મહારાજાને યાગ્ય જણાઈ. તેમણે સઘની જકાત માફ કરવાના હુકમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org