________________
આપને ચિત લાગે તે...
૨૨૭
પ્રતિમા ભરાવવાના નિણય લેવાયા. એ પ્રતિમા મનાવવાના એર જયપુરના કુશળ શિલ્પીને આપવામાં આવ્યે. એણે પણ એર અનુસાર શુભ દિવસે શુદ્ધિ અને વિધિપુરઃસર એ પ્રતિમા ઘડવાના મંગલપ્રારંભ કરી દ્વીધા.
આ તરફ મહુવામાં—
પૂજ્યશ્રીના પવિત્ર જન્મસ્થાનમાં ખાતમુહૂત થયા પછી દેરાસરનુ બાંધકામ શરૂ થયું. ત્યાં પણ નાનું અને સાદું દેશસર બાંધવાના જ વિચાર હતા. પણ પછીથી પૂજ્યશ્રીના પટ્ટધર ચ્યા. શ્રીવિજ્રાદયસૂરિજી મ. તથા તેમના પટ્ટધર આ.શ્રીવિજયનંદનસૂરિજી મ. ની શુભપ્રેરણાથી ભક્તશ્રાવકોની ભાવનામાં વૃદ્ધિ થતાં બાવન જિનાલયયુક્ત ચાર મજલાનું શિખરમાંધી દેરાસર બાંધવાના નિર્ણય થયા અને એ મુજબ પ્લાન કરીને કામ આગળ ધપાવવામાં આવ્યું.
આ ચાતુર્માસની શરૂઆતમાં પૂજ્યશ્રીએ પોતાના વિદ્વાન્ શિષ્ય મુનિશ્રી અમૃતવિજયજી મહારાજને ગણિપદ તથા પંન્યાસ પદ અને મુનિશ્રી લાવણ્યવિજયજીને પ્રવ કપદ આપ્યાં. શ્રીઅમૃતવિજયજી મ. ગયા મહા મહિનાથી શ્રીભગવતીસૂત્રના ચેાગ વહી રહ્યા હતા. પદવીપ્રસંગે શ્રીસ ંઘે ભવ્ય મહાત્સવ ચૈાન્યા.
ચાતુર્માસ પછી દેરાસરના કામકાજને અંગે કેટલાક સમય મહુવામાં સ્થિરતા કરી. તે દરમ્યાન—શેઠ કસળચંદ કમળશીના કુટુંબમાં વ્યાવહારિક કારણેાસર વિખવાદ થતાં તેના છાંટા જ્ઞાતિમાં તથા સંઘમાં પણ ઉડ્યાં. આથી સંઘમાં પણ વિખવાદનું વાતાવરણ સર્જાયુ'. એ પક્ષા પડી ગયા.
પણ પૂજ્યશ્રીએ અન્ને પક્ષને એકત્ર કરીને શાંતિ તથા સૌંપ જાળવવાના ઉપદેશ કર્યાં. અને નાના નાના હેતુઓને આગળ ધરીને સંઘમાં તથા જ્ઞાતિમાં વિખવાદ ઊભેા ન કરવા સમજાવ્યા. અન્ને પક્ષવાળા પેાતાની ભૂલે! સમજ્યા, કબુલ થયા, અને પૂજ્યશ્રી સમક્ષ પરસ્પરની ક્ષમા યાચીને વિખવાદના અંત આણ્યા.
મહુવામાં ‘શ્રીયશેાવિજયજી જૈન ખાલાશ્રમ' બાંધવા માટે કસળચંદભાઈ એ ઉદારદિલે સારી રકમ આપી હતી. એ બાલાશ્રમનુ બાંધકામ આ વિખવાદને લીધે અટકેલુ. પણ હવે તે પૂરૂ કરવાનુ સંઘે કબૂલ્યું.
હવે પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી. એ પ્રસંગે આ સમાધાનથી ખૂબ આનંદ પામેલા શ્રીકસળચંદભાઈ ને શ્રીસિદ્ધગિરિરાજના છરી પાળતા સંઘ કાઢવાની ભાવના થઈ. પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને એ ભાવનાને દૃઢ બનાવી. એ દૃઢ ભાવનાનુસાર તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ કાઢ્યો.
સંઘમાં જોડાયેલા સેકડો યાત્રાળુઓ તપ-જપ-પ્રભુભકિત-શુસેવા આદિ ધમ કાર્યાં કરતાં કરતાં ઉમણીયાવદર, કુંભણુ, ખુંટવડા, સેદરડા, છાપરીયાળી, જેસર, રાજપર, ચાક થઈ ને કદ ંબગિરિજી આવ્યા, ગિરિવરની યાત્રા કરી. પૂજ્યશ્રીના શ્રીમુખે આ તીર્થના મહાન મહિમા શ્રવણુ કરીને સકલ સંઘ પુલકિત બન્યા. ગિરિરાજની છાયામાં નિર્માઈ રહેલાં ભવ્ય દેરાસરને જોઈને સૌ કાઈ પૂજ્યશ્રીના તીĪદ્ધારમય આત્માને અભિવંદી રહ્યા. પૂજ્યશ્રીના કલ્યાણુકર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org