________________
એતહાસિક મુનિસમેલન
૨૫૭ નિર્ણયે હિંદુસ્તાનના સકલ શ્રીસંઘને અત્રે નિમંત્રી પ્રસિદ્ધ કરવાનું આપણે નક્કી કર્યું હતું. પરંતુ-હાલ આપણું શહેરમાં ચાલતાં મેનીનજાઈટીસના ઉપદ્રવને અંગે તેમ કરવું અશક્ય હેઈ આપણે લાચાર છીએ, જેથી આ નિર્ણની નકલ દરેક ગામને શ્રીસંઘને મોકલી આપવાનું નકકી કર્યું છે. આપ સર્વ સમક્ષ તે નિર્ણયે પરમપૂજ્ય આચાર્ય શ્રીમત સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ વાંચી સંભળાવશે.
આ ઐતિહાસિક ને યશસ્વી મુનિસંમેલનમાં અનેક વિશિષ્ટતાઓ પૈકીની કેટલીક ખાસ આદર્શરૂપે છે. જેમકે-નવ વૃદ્ધ મહાપુરુષોએ અગિયારે મુદ્દાના નિર્ણયે કાંઈ પણ વિરૂદ્ધતા વિના એક જ મતે કરી ઘણું જ ઉત્તમ દષ્ટાંત પૂરું પાડ્યું છે.
સંમેલન પહેલાં અનેક પક્ષભેદ અને વિચારભેદમાં વહેંચાયેલા જણાતા પૂજ્ય મુનિઓએ સંમેલન મંડપમાં તેઓની બેઠક મર્યાદા મુજબ લઈ લીધી હતી.
વર્તમાન સમયની પદ્ધતિ મુજબ કઈ પણ પ્રમુખની નિમણુક કર્યા વિના, પરાપૂર્વની શાસ્ત્રીય પ્રથા મુજબ પૂજ્ય આચાર્યાદિ વડીલેની આમન્યા બરાબર જાળવીને તેત્રીસ દિવસ સુધી કાર્ય કર્યું. દરરોજ•પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પુનિત નવકારમંત્રથી મંગળાચરણ કરી, કાર્યની પૂર્ણાહુતિ પણ મંગલાત્મક લેકથી કરતાં. રોજના માત્ર ર થી ૩ કલાક એવાં ફકત તેત્રીસ જ દિવસમાં નિર્ણય કરવા વિષયે તારવ્યા, તે સંબંધી શાસ્ત્રીય ચર્ચાઓ કરી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિચાર્યા, અનેક મંડળીઓ નીમી, અને સર્વાનુમતે સફળ નિર્ણય કર્યો.
સંમેલનના મળવા અગાઉ બધા સાધુઓ એકત્રિત થાય, એ શક્ય મનાતું. મળ્યા પછી પ્રેમભાવે વર્તે એ પણ દુઃશક્ય મનાતું, અને છેવટે સર્વાનુમતે નિર્ણ કરી શકે તે અશક્ય મનાતું. પરંતુ આપણે પૂજ્ય મુનિરાજે એ બધી જ માન્યતાઓને તેમની હૃદયની ઉદારતાથી છેટી પાડી છે. એટલું જ નહિ, પણ અમુક સ્વાર્થ ખાતર કિંવા પિતાની માન્યતા બીજાને માથે ઠેકી બેસાડવા ખાતર આ મુનિસંમેલન ઊભું કરાયું છે, એવી વાતે મુનિસંમેલનના સર્વમાન્ય નિર્ણયેથી બિનપાયાદાર કરી છે. હું તે પહેલેથી જ કહેતે આ છું કે, “આપણા સાધુ તે સાધુ જ છે.”
કચ્છ-કાઠિયાવાડ-માળવા-મારવાડ-મુંબઈ અને દિલ્હી જેવાં દૂર દૂરના તેમજ નજદીકના પ્રદેશમાંથી સતત અને મુશ્કેલીભર્યો પાદવિહાર કરીને ટૂંક સમયમાં આપણા નિમંત્રણથી મુનિમહારાજેએ તથા સાધ્વીજીઓએ અત્રે પધારી, આપણું શ્રીસંઘને અત્યંત આણી બનાવ્યા છે, ને આજે આપણું રાજનગરને જે સુયશ પ્રાપ્ત થયા છે, તે સર્વ પ્રતાપ આ મુનિ મહારાજે છે.
અંતમાં આવાં મહાન ઐતિહાસિક મુનિસંમેલનને નિમંત્રણ કરી, તેની સુવ્યવસ્થા જાળવવી એ અત્યંત કઠિન છતાં જે અપૂર્વ સફળતા મળી છે, તે આપણું શ્રીસંઘના ઉલ્લાસભર્યા સંપૂર્ણ સહકારને જ આભારી છે. જે જે ભાઈઓએ જુદી જુદી સમિતિઓમાં રહીને, અને કેટલાકએ મારી સાથે જ રહીને આ શુભ કાર્યમાં જે સેવાઓ આપી છે, તે સને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.”
૩૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org