________________
૧૬૨
શાસનસમ્રાટું પછી મહારાજાએ પૂજ્યશ્રીને નમ્રતાપૂર્વક વિનંતિ કરી કે આ પ્રદેશ બહુ જ વિકટ છે. અહીં આવવું ઘણું જોખમભર્યું ગણાય. માર્ગમાં આંધી, વંટોળીયાને તે પાર નહિ. પણ ધર્મના કેઈ અલૌકિક પ્રભાવથી જ આપ તથા સંઘ આ બાજુ નિર્વિદને પધાર્યા છે. માટે હવે અહીં જ સ્થિરતા કરે.
આમ મહારાજાને આગ્રહ હોવા છતાંય પૂજ્યશ્રીએ ના જણાવી.
આથી મહારાજાએ પૂજ્યશ્રીને પાલખી-છડી-પટાવાળા વિગેરે પિતાના-રાજ્ય તરફથી રાખવા માટે વિજ્ઞપ્તિ કરી. પણ પિતાની સાધુમર્યાદા સમજાવીને પૂજ્યશ્રીએ એ વાતને અસ્વીકાર કર્યો. આથી પૂજ્યશ્રીના શુદ્ધ ચારિત્ર્યબળથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા.
જેસલમેરના વિખ્યાત હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથભંડારોનું પૂજ્યશ્રીએ અવલેકન કર્યું. પછી શ્રી સંઘ સાથે બ્રહ્મસાગર-અમૃતસાગર થઈને શ્રીલેદ્રવા પાર્શ્વનાથજી તીર્થ પધાર્યા. ત્યાં યાત્રા કરીને પુનઃ જેસલમેર પધાર્યા. બેએક દિવસ સ્થિરતા કરી, શુભ મુહૂર્ત સંઘવીને તીર્થમાળારોપણ કર્યું. સંઘવીએ પણ અંતરના ઉલ્લાસથી પૂજા-પ્રભાવનાદિક કાર્યો કર્યા.
| તીર્થયાત્રા કર્યા પછી શ્રીસંઘ જે રસ્તે આવેલે, તે જ રસ્તે પાછો ફર્યો. માર્ગમાં વાસણ ગામે પૂર્વની જેમ આ વખતે પણ પાણીની તંગી ઊભી થઈ, પૂર્વવત્ વરસાદ આવ્યું, અને પાણીની તંગી દૂર થઈ. જે પ્રદેશમાં ત્રણ વર્ષે એકવાર ધોધમાર વરસાદ આવે, એ પ્રદેશમાં એક જ મહિનામાં બે વાર ધોધમાર વરસાદ આવ્યો, એ બનાવને લેકે ચમત્કારિક માનવા લાગ્યા.
સંઘ ફલેધી આવ્યો, ત્યારે ત્યાંના શ્રીસંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે આગ્રહપૂર્ણ વિનંતિ કરી. પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ તેને સ્વીકાર કર્યો
આ સંઘ કાઢનાર સંઘવી શ્રીઅમીચંદજી-ગુલાબચંદજીની ભાવના દોઢ લાખ રૂા. ખર્ચવાની હતી. પણ સંઘ જેધપુર સુધી આવ્યું ત્યાં યાત્રીઓનું પ્રમાણ ધાર્યા કરતાં ઘણું વધી ગયું. પણ એની સાથે સંઘવી–ભાઈ એની ભાવના પણ દ્વિગુણિત થતી ગઈ.
સંઘ જે જે ગામમાં જાય, ત્યાં ત્યાંના સ્થાનિક સંઘ આખા સંઘને નિમંત્રણ આપીને નવકારશી કરીને સંઘ-વાત્સલ્ય કરતા. સંઘવી-ભાઈઓ પણ સ્થાનિક સંઘની નવકારશી પિતાના તરફથી સર્વત્ર કરતા. એમાં ખર્ચ ઘણે થતો એટલે પૂજ્યશ્રીએ સંઘવીને શિરે અધિક ભાર ન પડે, એ હેતુથી કહ્યું કેઃ “મોટા મોટા શહેરોમાં ત્યાંના સંઘને જમાડવાને લાભ બીજા ભાવિકે પણ લઈ શકે છે.”
ત્યારે સંઘવી–ભાઈઓએ વિનંતિ કરી કેઃ “સાહેબ ! અમારા પ્રબળ પુણ્યયોગે આવે ઉત્તમોત્તમ લાભ લેવાને અવસર આવ્યો છે, માટે આ બધો લાભ અમને જ લેવા દો.” તેમની ભાવના જોઈને પૂજ્યશ્રીએ સંમતિ આપી.
જ્યારે સંઘ પાછે ફલેધી આવ્યું, ત્યારે ખર્ચને અંદાજે રૂ. ૩ લાખને આવ્યા. પણ એ સંઘવી-બંધુઓને ઉત્સાહ તે અપૂર્વ જ હતા. તેઓ વિશુદ્ધ ચિત્તની ભાવનાથી આ બધે લાભ લઈ રહ્યા હતા. અને–પુણ્યમાર્ગે વપરાયેલી લહમી પણ પુણ્યાનુબંધી પુણ્યની લમીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org