________________
માલવીયાજીના ગુરુજી
૧૮૩ મહેસાણાથી સંઘ શ્રીતારંગાતીથે પહોંચ્યું. ત્યાં ૩ દિવસ યાત્રા કરીને ઈડર ગયે. ઈડરમાં દરેક દેરાસરના વજારોપણને મહત્સવ ઉજવાયો. ઈલાદુર્ગા (કિલ્લા) ઉપર આવેલા શ્રીશાન્તિનાથ પ્રભુના દર્શન-પૂજન કર્યા. ત્યાંથી પોશીના તીર્થે આવ્યા.
પિશીનામાં દિગંબરોના વધુ રને લીધે આપણા દેરાસરના પ્રભુજીના ચક્ષુ-ટીકાઓ તેઓએ ઉતારી લીધા હતા, અને તે ફરી ચડાવવા દેતા ન હતા. આ વાત ત્યાંની પેઢીના માણસોએ પૂજ્યશ્રીને જણાવતાં પૂજ્યશ્રીએ કહ્યું : અહીંયા દિગંબરેને શે અધિકાર છે? તમે અત્યારે જ પ્રભુને ચક્ષુ-ટીકા ચઢાવી દ્યો.
પેઢીમાં તત્કાલ ચક્ષુ-ટીકા હાજર ન હતા. કારણ કે એ દિગંબરે ઉપાડી ગયેલા. પણ સંઘમાં કેટલાક ગૃહસ્થ પાસે હતા, તે મેળવીને દરેક પ્રભુજીને ચઢાવવામાં આવ્યા. આ જેઈને દિગંબરો શેઠશ્રી સારાભાઈ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે : હવે અમને દશનને અંતરાય થશે. એથી અમારે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે, કારણ કે–ચક્ષુવાળા દેવના દર્શન અમારાથી થાય નહિ.
સારાભાઈ તેઓને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમની વાત સાંભળીને પૂજ્યશ્રીએ કહ્યું : “આપણે આવતી કાલે પણ અહીં જ રહેવું છે, અને દિગંબના દેરાસરમાં પણ પ્રભુજીને ચક્ષુ-ટીલા ચઢાવીને દર્શન કરવા છે. કારણ કે-ચક્ષુ વિનાના પ્રભુના દર્શન કરવાથી અમને પ્રાયશ્ચિત્ત આવે. વળી અમે તે ચક્ષુ વગરનાને ચક્ષુ આપીએ છીએ. જ્યારે તમે દિગંબરે તે ચક્ષુ હોય એનાય લઈ લે છે.”
આ સાંભળીને દિગંબર વિલે મોઢે ચાલ્યા ગયા. અને આ પછી તેઓ ઠંડા પડયા. પ્રભુજીને ચઢાવેલા ચક્ષુ-ટીકા કાયમ રહ્યાં. અને દિગંબરોને આપણું દેરાસરમાં થતે પગપિસારો પણ બંધ થયો.
ત્યારબાદ શ્રી સંઘ અનુક્રમે કેસરિયાજી તીર્થે પહોંચ્યા. ત્યાં શ્રી કેસરિયા-આદિનાથ પ્રભુની પ્રાચીન અને શ્યામવર્ણી ભવ્ય પ્રતિમાના દર્શન-પૂજન કરીને સકલ સંઘ કૃતકૃત્ય બન્ય. સંઘવી શેઠશ્રી સારાભાઈને પૂજ્યશ્રીએ વિધિપૂર્વક તીર્થમાળારોપણ કર્યું. ત્યાર બાદ ૧૦ દિવસની સ્થિરતા કરીને સંઘે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
માર્ગમાં ટીટેઈ ગામે ઉદયપુરને સંઘ પૂજ્યશ્રીને ત્યાં પધારવાની વિનંતિ કરવા આવ્યો. તેમના અતિઆગ્રહથી પૂજ્યશ્રી સપરિવાર ત્યાં પધાર્યા. સંઘની વિનંતિથી આગામી ચાતુર્માસ પણ ત્યાં કરવાનું નકકી કર્યું.
ચોમાસાને હજી ત્રણેક માસની વાર હોવાથી પૂજ્યશ્રી આજુબાજુના પ્રદેશમાં વિહરવા પધાર્યા. જુદા જુદા ગામમાં વિહરતા પૂજ્યશ્રી નાઈ ગામમાં પધાર્યા. આ ગામ સ્થાનકવાસીઓની “વિલાયત” તરીકે ઓળખાતું હતું. મૂર્તિપૂજકનું ફક્ત એક જ ઘર હતું. પણ પૂજ્યશ્રીના અમૃતમય વાણીપ્રવાહથી પ્રતિબોધ પામીને અહીંના શ્રી અખેચંદજી, ચાંદમલજી વગેરે ઘણા ગૃહસ્થોએ મૂર્તિપૂજાને શુદ્ધ માર્ગ સ્વીકાર્યો. અને પૂજ્યશ્રી પાસે નાણ મંડાવીને શ્રી સમ્યકત્વ સાથે અન્ય વતી પણ ઉચ્ચર્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org