________________
તીર્થરક્ષાના આધાર-શાસનસમ્રા
૧૩૭
પંન્યાસજી મ. પણ આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમણે બોલવાની ઝડપ વધારી, અને એ છેલ્લે આલા બેલા, મુનિશ્રીએ એને અર્થ કહ્યો, અને એ પૂર્ણ થતાંની સાથે જ મુનિશ્રીના અમર આત્માએ અરિહંતના ઉચ્ચાર સાથે સ્વર્ગપુરીના પંથે પ્રયાણ આદરી દીધાં.
સૌ કોઈને મસ્તક ઝૂકી પડ્યા. સૌ બોલી રહ્યાં=ધન્ય મૃત્યુ ! ધન્ય સમાધિ !
અમદાવાદથી સવારે નીકળીને એકધારે વિહાર કરી રહેલા પૂજ્યશ્રી અત્યારે અમદાવાદથી ૧૮ માઈલ દૂર આવેલાં નાયકાનું પાદર ઓળંગવાની તૈયારીમાં હતા. પણ ગુરૂ-શિષ્યનું મિલન કાળદેવને મંજૂર નહતું. એ જ વખતે શેઠ પ્રતાપસીંહભાઈએ આવીને આ આઘાતજનક સમાચાર આપ્યા અને કહ્યું કે-“સાહેબ ! હવે આપશ્રી અહીં જ સ્થિરતા કરો.”
પૂજ્યશ્રી પણ શકમગ્ન હૈયે ત્યાંનાયકાગામમાં પધાર્યા. દેવવંદનાદિ ક્રિયા કરી. તેઓશ્રીના એક અતિપ્રિય અને આશાસ્પદ વિદ્વાન શિષ્યને આજે વિયોગ થયે હતે. રે કાળ! ખરે જ, તું દુરતિકમ છે.
ત્યારપછી અમદાવાદથી નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ, શેઠ અંબાલાલ સારાભાઈ શેઠ જમનાભાઈ ભગુભાઈ વિગેરે ત્યાં આવ્યા, અને પૂજ્યશ્રીને આશ્વાસન આપવાપૂર્વક અમદાવાદ પધારવા વિનંતિ કરી. પૂજ્યશ્રી પણ ત્યારપછી અમદાવાદ પધાર્યા.
ખેડાથી પં. શ્રી પ્રતાપવિજયજી મ. આદિ મુનિવરે પણ થોડા દિવસમાં અમદાવાદ આવી ગયા. તેમણે પૂજ્યશ્રીની આજ્ઞાથી માળવા તરફ વિહાર કર્યો. માર્ગમાં વળાદ મુકામે તેમણે બોટાદનિવાસી શા. હેમચંદ શામજીના ૧૫ વર્ષની વયના પુત્રરત્ન શ્રી નરોત્તમભાઈને દિક્ષા આપી. તેમને પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રીઉદયવિજયજી મ. ના શિષ્ય કરીને તેમનું નામ મુનિશ્રીનન્દનવિજયજી મ. રાખ્યું.
આ અગાઉ બીજા પણ બે ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમના નામ મુનિશ્રી કીતિવિજયજી તથા મુનિશ્રી નિધાનવિજ્યજી રાખીને અનુક્રમે પં. શ્રી ઉદયવિજયજી મ. ના, તથા મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ના શિષ્ય કર્યા.
આ બધાં શાસન-પ્રભાવનાના કાર્યોની સાથે સાથે આપણું પવિત્ર અને મહાન તીર્થોશ્રી શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, તારંગાજી, વિગેરેના કેસના કામ પણ ચાલુ જ હતા. પૂજ્યશ્રીનું માર્ગદર્શન–સલાહસૂચન એ બાબતમાં ઘણું જ કિંમતી બનતું. શ્રીગિરનાર તીર્થને કેસ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈના સમયથી ચાલુ હતો. એમાં બનેલું એવું કે –
સેંકડો વર્ષોથી ગિરનાર તીર્થ ઉપર આપણે શ્વેતાંબર જૈનોને અબાધિત અને સ્વતંત્ર હક્ક-વહીવટ હતે. ગિરનાર પર્વત ઉપરના દેરાસરે-ધર્મશાળાઓ-દેરીઓ-કુંડ–એટલાપડતર જમીન-વા-ગુફા, એ તમામ વસ્તુઓના સર્વેસર્વા આપણે . જેને જ હતા. એ બધી વસ્તુઓ નવી કરાવવી, તેનું સમારકામ કરાવવું, વિ. બધાને ખર્ચ આપણે–વે. જેને જ ભોગવતા અને કરતા. તેમાં કેઈની દખલગીરી નહોતી. આમ ગિરનાર પર્વતની આપણી સ્વતંત્ર માલિકી હેવાથી આપણે પણ એક સ્ટેટ (state) જેટલી સત્તા ભેગવતા હતા. અને જુનાગઢ-સ્ટેટ તરફથી પર્વત પર કેઈવાર કાંઈક અડચણ થાય, તે આપણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org