________________
૧૪૬
શાસનસમ્રાર સેગઠાબાજીની રમતમાં માતાને વિજય થયો હતો, તે જ રીતે આ તારણદુર્ગ (તારંગાજી) ઉપર શ્રી અજિતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા સોલંકીયુકેતુ મહારાજા શ્રી કુમારપાળ દેવના હૃદયમાં થઈ, અને તેના પ્રભાવથી તેમને પણ પરરાષ્ટ્રની વિજય-લક્ષમી પ્રાપ્ત થઈ
આવા એ શ્રી તારણગિરિ પર રહેલા-(મહારાજા કુમારપાલે ભવ્ય પ્રાસાદ બંધાવી, તેમાં પધરાવેલા) જગને (નિજ ગુણ વડે) જીતનારા-અને મહરાજ વડે અજેય એવા શ્રી અજિતનાથ પ્રભુને હું સ્તવું છું.
કુમારપાલ રાજાએ બંધાવેલા એ ભવ્ય પ્રાસાદમાં ભમતી હોવાથી તે ભૂમિ-પ્રાસાદ કહેવાય છે.
આ મહાપ્રાસાદનો જીર્ણોદ્ધાર સંઘપતિશ્રી ગોવિંદ નામના શ્રાવકે કરાવ્યું હતું. તે વખતે-કુમારપાળ રાજાએ પધરાવેલ પ્રતિમાને સ્વેચ્છાએ વિનાશ કર્યો હોવાથી ગોવિંદ શ્રાવકે નવીન બિંબ ભરાવી, તેની પ્રતિષ્ઠા શ્રીસમસુંદરસૂરિજી મહારાજના હસ્તે કરાવી હતી.
આ તારંગાતીર્થ ઉપર શ્રીસિદ્ધશિલા-કેટિશિલા, તથા મેક્ષની બારી એ ત્રણ નામની ત્રણ ટેકરીઓ છે. અને જે તારણુદેવીના નામથી આ ગિરિવરનું નામ તારણગિરિ થયું છે, તે તારણુદેવી તથા ધારણુદેવીની ગુફાઓ પણ છે. તારણુદેવીની સ્તુતિ કરતાં શ્રી મુનિસુંદર. સૂરિ મહારાજા ફરમાવે છે કે “ભકતેને વિપત્તિરૂપ નદીમાંથી તારવામાં તત્પર હે તારણુદેવિ ! તમને કેણુ સ્તવતું નથી ? (અર્થા–સર્વ કઈ તમારી સ્તુતિ કરે છે. કારણ કે યુદ્ધમાં શત્રુઓ ઉપર સદાય જય મેળવનાર તમે આ (તારંગા) તીર્થને તથા જિનેશ્વરદેવ પ્રત્યે ભકિત ધરાવતા ભવ્યને હંમેશાં રક્ષણ આપે છે.”
કેટિશિલા-સિદ્ધશિલા તથા મોક્ષબારી સહિતનું આ આખુયે તીર્થ આપણું-જૈન શ્વે. મૂ પૂ. સંઘનું જ છે.
આ તીર્થમાં અઠવાડિયા સુધી સ્થિરતા કરીને પૂજ્યશ્રીએ તેનું સાંગોપાંગ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. આ દિવસોમાં–આ તારંગાતીર્થ માટે પણ ટીંબા ઠાકર- ભાગદારે અને જેને વચ્ચે તકરાર ચાલતી હતી. તે બાબતમાં પણ પૂજ્યશ્રીએ સમ્યફતયા જાણકારી મેળવી.
ત્યારબાદ તેઓશ્રી ટીંબા-સુદામણું થઈને દાંતા પધાર્યા. દાંતાના મહાજનના હાથમાં શ્રીકુંભારીયાજી તીર્થને વહીવટ હતો. વહીવટ અને દેખરેખ બેપરવાઈથી થતા હોવાથી. તીર્થની પ્રગતિ સારી રીતે થતી નહતી.
દાંતાથી પૂજ્યશ્રી શ્રી કુંભારીયાજી તીથે પધાર્યા. અહીં ગુજરાતના મહામંત્રીશ્વરશ્રી વિમલશાએ બંધાવેલા પાંચ જિનાલય છે. અહીં આરસની મોટી ખાણે છે. એ ખાણોના પાષાણુથી આબુજી તથા કુંભારીયાજીના દેરાસરો બંધાયા હતા.
સ્વ. શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈએ અહીં એક ધર્મશાળા બંધાવી છે. શેઠશ્રીને નિયમ હતું કે : દિવાળી તથા બેસતા વર્ષના માંગલિક દિવસો આપણા પવિત્ર તીર્થોની યાત્રા૧. જૈનસ્તોત્રસંગ્રહ-(જિનસ્તોત્રરત્નમેષ રન ૧૧મું. બ્લેક-૧-૨) બીજો ભાગ, ૨. જૈનસ્તોત્રસંગ્રહ–બીજો ભાગ. જિનસ્તોત્રરતનકોષ શ્લોક-૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org