________________
શાસનસમ્રાટ
શ્રી સ્તંભતીર્થ જેવાં તીર્થમાં તીર્થપતિ શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા-એ આપણુ મહાન ચરિત્રનાયકશ્રીના વરદહસ્તે થયેલી પ્રથમ પ્રતિષ્ઠા છે. - મહાન પ્રભુ ! મહાન તીર્થ ! અને મહાન ગુરુ ! એ ત્રણે મહાન જ્યાં એકત્ર થયા હોય, ત્યાં કાર્ય પણ મહાન જ થાય ને !!
' [૧૯] પ્રવચન-પ્રભાવનાના પ્રેરક પ્રસંગો
વિ. સં. ૧૫૫નું ચાતુર્માસ ખંભાતમાં પૂર્ણ કરી, શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરીને પૂજ્યશ્રીએ પેટલાદ તરફ વિહાર કર્યો. સાયમા, તારાપુર, નાર થઈને તેઓશ્રીપેટલાદ પધાર્યા. ખંભાતમાં સ્થાપેલી “જંગમ પાઠશાળા” સાથે જ હતી. લગભગ ૪૦ જેટલાં વિદ્યાથીઓ એમાં ભણતા હતા. પેટલાદમાં શેઠ પોપટભાઈની તમાકુની પેઢી હતી. તેથી ત્યાં તેમનું રસોડું ચાલતું, ને તેમાં આ બધા વિદ્યાથીઓ જમતા.
૧૯૫૬ના આ વર્ષમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આ ભીને દુષ્કાળ છપ્પનીયા કાળના નામે ઓળખાયે. લોકો પોતાના ઢેરાને પાણીના મૂલ્ય કસાઈઓને વેચી દેતા. અને જે થોડા ઘણુ પૈસા મળે, તેમાંથી મહા મુશ્કેલીએ થોડુંક અનાજ મેળવીને પેટ ભરતાં.
પૂજ્ય મહારાજશ્રી પિટલાદમાં રતનપળ-ચામડિયા શેરીમાં આવેલા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. એ મકાનને ઉપરને ભાગ ઉપાશ્રય હતા, અને નીચેનો ભાગ ધર્મશાળા તરીકે વપરાતે. એટલે પૂજ્યશ્રી ઉપર ઉતરેલા. નીચેના ધર્મશાળા-વિભાગમાં વિદ્યાથીઓ રહ્યા.
પૂજ્યશ્રી–ઉપાશ્રયમાં જાહેર–માર્ગ તરફના ગોખ પાસે બેસતાં. એ ગેખ વાટે એકવાર તેઓશ્રીએ એક માણસને કેટલીક ભેંસે લઈ જતે જે. ભેંસોની ચાલ, તથા તેને દોરનાર માણસની આકૃતિ પરથી જ તેઓશ્રી સમજી ગયા કે-આ ભેંસો કસાઈખાને જઈ રહી છે. તરતજ તેઓશ્રીએ નીચેથી વિદ્યાર્થીઓને બોલાવીને તપાસ કરવા મોકલ્યા.
નાર ગામના શ્રી નારાયણદાસ, તથા શ્રી શિવલાલભાઈ નામક પાટીદાર જૈન વિદ્યાથીએ આ હકીકત જાણતા હોવાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું કે-આપશ્રીની કલ્પના સત્ય છે. આ પશુઓ કસાઈખાને જ લઈ જવાય છે.
પૂજ્યશ્રી તે દયાના સાગર હતા, અહિંસાના ઉપાસક હતા. તેમનાથી આ કેમ જોયું જાય ? તેઓશ્રીનું દિલ દ્રવી ઉઠયું. તેઓએ વિચાર્યું કે કેઈપણ ઉપાયે આ પશુઓને બચાવવા જ જોઈએ.
તેઓશ્રીએ તત્કાલ બુદ્ધિ વાપરીને વિદ્યાર્થીઓને પશુઓના જીવ બચાવવા માટે યુક્તિ બતાવી. તદનુસાર દસ-પંદર વિદ્યાથીઓ ટેળાબંધ પિલાં કસાઈ પાસે જઈ પહેઓ; અને ભેંસને તેના બંધનમાંથી છોડાવી લીધી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org