________________
શાસનસમ્રાટું
સ્તવના કરી, તથા તીર્થના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. એક વેળાના મહાન તીર્થની આવી જીર્ણ દશા જોઈને તેઓશ્રીનું હૈયું રડી ઉઠયું. તેઓશ્રીએ તે જ વખતે મને મન દ્રઢ પ્રતિજ્ઞા કરી કે “આ તીર્થને ઉદ્ધાર હું શાસનદેવની સહાયથી અવશ્યમેવ કરીશ.”
પછી બીજે દિવસે વિશેષ તપાસ કરતાં કરતાં, દેરાસરના પાછળના ભાગમાંથી એક ખંડિત પ્રતિમા–જેની ઉંચાઈ મૂળનાયક ભગવાન્ જેટલી જ હતી, તે મળી આવ્યા. આજુબાજુમાંથી બીજી પણુ-સંપ્રતિ મહારાજાના સમયની શ્રી આદિનાથની પ્રતિમા, શ્રી અંબિકાદેવીની નયનમનહર પ્રતિમા, પરિકરની ગાદી, વિહરમાન જિનની કાર્યોત્સર્ગાકાર ખંડિત પ્રતિમા, વિગેરે વસ્તુઓ મળી આવી. પરિકરની ગાદીના લેખ પરથી શ્રીવતુપાળ મંત્રીને ઈતિહાસ મેળવ્યું. સૂમ દષ્ટિથી ખૂણે ખૂણે તપાસી લીધા પછી પૂજ્યશ્રીએ ગોરધનદાસને કહ્યું એક વાડા જેવી જગ્યા અત્યારે શેઠ મનસુખલાલ ભગુભાઈના નામથી લઈ લે, અને તેમાં આ બધી પ્રતિમાઓ અને અન્ય વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી દે.
ગોરધનદાસે તરત જ એક રબારીને વાડે ખરીદી લીધે, અને તેમાં તે સર્વ પ્રતિમાજી વિ. વસ્તુઓ વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે ગઠવી દીધી.
આ વ્યવસ્થા બરાબર થઈ ગયા બાદ ત્રીજે દિવસે શ્રી શેરીસાપાશ્વ પ્રભુનું અખંડએકાગ્રચિત્તે ધ્યાન-સ્મરણ અને તીર્થોદ્ધારની પ્રાર્થના કરવાપૂર્વક પૂજ્યશ્રીએ ત્યાંથી ઓગણજ જવા માટે વિહાર કર્યો. તેઓશ્રીના ચિત્તમાં અત્યારે એક જ રટણ હતું, અને તે-તીર્થોદ્ધારનું. એ રટણમાં ને રટણમાં ભાવનાવિભેર બનીને તેઓશ્રી ચાલી રહ્યા હતા. સાથે સાધુ-શ્રાવકને પરિવાર હતે.
હવે બન્યું એવું કે-માર્ગમાં બે રસ્તા આવ્યા. એક ઓગણજને, અને બીજે બીજી તરફને. એમાં જે રસ્તો બીજી તરફનો હતો, તેને ઓગણજને માનીને તે રસ્તે પૂજ્યશ્રી આદિ ચાલ્યા. પૂજ્યશ્રીના એક શિષ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજ આગળ નીકળી ગયેલા, તેથી પૂજ્યશ્રીને ચિંતા થઈ કે યશવિજયજી કયા રસ્તે ગયા હશે? પણ વસ્તુતઃ યશવિજયજી મહારાજ ઓગણજના સાચા રસ્તે ગયેલા અને પૂજ્યશ્રી આદિ બીજા રસ્તે જતા હતા. કોઈને આ વાતને ખ્યાલ નહિ. એટલે સૌ અવિરતપણે ચાલ્યા જ જતા હતા.
ત્યાં જ—એકાએક ચમત્કાર સજા, ન કલ્પી શકાય-એ. આકાશના ઊંડાણમાંથી નીરવ વાતાવરણને ભેદતી કે અય વાણુ પ્રગટીઃ “તમે જે માર્ગે જઈ રહ્યા છે, તે તમારો અભીષ્ટ માગ નથી. તમે બીજી બાજુના રસ્તે જાવ, એ જ તમારે ઈસિત રસ્તો છે”
બસ ! દૂર-સુદૂર સુધી પ્રતિષ પાડતી એ અજ્ઞાત વાણું આટલું જણાવીને શમી ગઈ સૌના આશ્ચર્યને અવધિ ન રહ્યો. સૌ વિચારમાં પડી ગયા કે આજુબાજુમાં ક્યાંય માનવ સંચાર તે જાતે નથી, તે આ કોને અવાજ હશે? સૌ આ વિચારમાં હતા, ત્યારે આપણું પૂજ્યશ્રી પેલી અજ્ઞાતવાણીના જવાબમાં ગંભીરદાર સ્વરે બોલ્યા: “આ બોલનાર વ્યકિત કેણ છે? જે હોય તે અહીં આવે અને અમને સાચા રસ્તે ચઢાવો.”
પણ કાંઈ પ્રત્યુત્તર મળે. આથી પૂજ્યશ્રીએ વિચાર્યું કે આપણને કદાચ ભ્રાન્તિ પણ થઈ ગઈ હોય. કારણ કે અહીં આજુબાજુ કેઈ માણસને સંચાર તે કળાતે જ નથી. માટે ચાલે આગળ, આમ વિચારીને તેઓશ્રી આગળ ચાલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org