________________
૧૨૪
શાસનસમ્રાટું
થઈ જવાથી તે બિંબ તેઓએ જ્યાં આગળ સૂર્યોદય થયેલ તે જગ્યાએ ધારાએણક ગામના ખેતરમાં પધરાવ્યું અને પોતે સેરીસા પધાર્યા. ત્યારપછી બીજી ૨૪ જિનમૂતિઓ તૈયાર કરાવીને તે સર્વ જિનબિંબની સેરીસાનગરમાં જિનાલયમાં પ્રતિષ્ઠા કરી. સોપારકના અંધશિલ્પીએ એક રાત્રિમાં બનાવેલી પ્રતિમા–શ્રીશેરીસા પાર્શ્વનાથ ભગવંતના પુણ્યનામે પ્રસિદ્ધિ પામી.
ત્યારપછી બાકી રહેલી ચોથી પ્રતિમાની જગ્યાએ પરમહંત ગુર્જરનરેશ શ્રીકુમારપાળદેવે તેટલા જ પ્રમાણની પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠિત કરી.
આ પછી એ શ્રી શેરીસામહાતીર્થ ભારે ખ્યાતિ પામ્યું. એના ચમત્કારીએ-મહિમાએ લોકોને આકર્ષ્યા, હજારોની સંખ્યામાં ભાવિકગણ ત્યાં આવતો, અને પ્રભુના દર્શન-પૂજન કરી કૃતાર્થ બનતે. ૧૩ મા શતકના ગુર્જરરાષ્ટ્રના મહાઅમાત્ય શ્રી વસ્તુપાળ અને તેજપાળે અહીંયા પિતાના વડીલ બંધુ શ્રીમાલદેવના શ્રેયાર્થે બે દેવકુલિકા કરાવી. એક દેવકુલિકામાં શ્રી નેમિનાથ ભગવાનની સપરિકર પ્રતિમા, અને બીજી દેવકુલિકામાં શ્રી અંબિકા દેવીની મૂર્તિ-કે જે વર્તમાનમાં પણ શ્રી શેરીસાતીર્થના જિનાલયમાં બિરાજે છે, તે નાગેન્દ્રગચ્છીય આચાર્ય શ્રીવિજયસેનસૂરીશ્વરજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી.
આમ લગભગ ૧૭ મા શતક સુધી એ તીર્થ એવું જ પ્રભાવશાલી અને ભારતવિખ્યાત બની રહ્યું. - ૧૮ માસિકાની પ્રથમ પચ્ચીસીમાં એ તીર્થ ઉપર-શેરીસાનગર ઉપર કાળદેવની નજર જરા વક્ર બની.
કાળદેવની કરામત અજબ છે.
આજે જ્યાં રંગભરી જ્યાફતો ઉડતી હોય, ત્યાં કાલે આફતના ઓળા ઉતારે, એ કાળદેવની જ કરામત.
કાળદેવની મહેર જ્યાં ઉતરી, ત્યાં લીલાલહેર વર્તાય. પછી ભલેને જંગલ હોય, તેય એ શહેર બની જાય.
શહેર ખંડેર બને, નગર ગામડું બને, એ કાળદેવના જ પ્રભાવે. જલ સ્થલમાં પરિણમે, સ્થલમાં જલ સર્જાય, એ કાળના જ કામ.
એ જ કાળદેવે પિતાની અજબ કરામત આ શેરીસાતીર્થ પર પણ અજમાવી. એના ફળસ્વરૂપે સં. ૧૭૨૧ માં મૂર્તિભંજક મુસલમાનેએ શેરીસાપાર્શ્વનાથના આ ભવ્ય જિનાલયને વિધ્વંસ કર્યો. ત્યારપછી શેરીસાનગર પણ ધ્વસ્ત થયું. એક કાળનું સર્જન વિસર્જનમાં પરિણમ્યું. ૧ એ પ્રતિમા તો અત્યારે નથી. પણ એના પરિકરની નીચેની ગાદી ભાગ શેરીસાતીર્થ–પેઢીમાં
સુરક્ષિત છે, તેના પરના શિલાલેખથી ઉપરની વાત સ્પષ્ટ જણાય છે. એ લેખમાં પ્રસ્તુત તીર્થને
“શ્રી પાર્શ્વનાથ- મહાતીર્થ” ના નામે ઓળખાવાયું છે. ૨. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org