________________
શાસનસમ્રાટ્
આવા એ મહાન સૂરિરાજ એકદા શેરીસાનગરમાં પધાર્યાં. અહીં એક સ્થાન તેને ઘણું જ ગમ્યું. વારંવાર તેઓ ત્યાં આવીને કાયાત્સગ ધ્યાને રહેવા લાગ્યા.
આ જોઈને એક ભક્ત શ્રાવકે સવિનય પૂછ્યું: ભગવન્ ! મહાપુરૂષાની એક પણ ક્રિયા નિષ્પ્રયેાજન નથી હાતી. નિહેતુક પ્રવૃત્તિ મહાપુરૂષોને ત્યાજ્ય હાય છે. છતાંય અજ્ઞાન એવા મને જિજ્ઞાસા થાય છે કે આ સ્થાનમાં એવી તે શું વિશેષતા ભરી છે, કે જેથી આપ પૂજ્ય જિનાલય કે ઉપાશ્રયમાં કાયાત્સગ ધ્યાને ન રહેતા અહીં પધારીને કાયાત્સગ કરો છો ? અહીંયા કાયાત્સગ કરવાનું આપ સમા પુજ્ય પુરૂષનું શું પ્રયેાજન હશે ? પ્રભા ! જણાવવા ચાગ્ય હાય તા કૃપા કરીને મારી જિજ્ઞાસા પૂર્ણ કરી.
૧૨૨
શ્રાવકની જિજ્ઞાસા જાણીને સૂરિભગવંતે મિષ્ટ અને ઈષ્ટ વાણીથી ફરમાયુ : ભદ્ર ! શિષ્યની વિશિષ્ટ પ્રવૃત્તિ જોઈને તમને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. હું જિન ચૈત્ય કે ઉપાશ્રય છેડીને આ સ્થળે એટલા માટે કાયાત્સગ કરૂ છું કે આ સ્થાન અતિ પવિત્ર છે. અતિપવિત્ર એટલા માટે કે-અહી એક શ્રેષ્ઠ અને મોટી પાષાણની પાટ પડી છે. એ પાટ--પુરૂષાદાનીય શ્રીપાર્શ્વનાથ ભગવંતની દિવ્ય-સ્મૃતિ સર્જવા માટે સર્વથા ચગ્ય અને ઉત્તમ છે. બસ ! આ જ હેતુથી હું અહીં વારવાર કાયાત્સગ ધ્યાન ધરૂ છું.”
આ સાંભળીને પેલા ભાવિક શ્રાવકના હૈયામાં જાણે હ નું પૂર આવ્યું. એ પૂરના નીરમાં સ્નાન કરતા તેણે સૂરિભગવ તને ગદ્ગદ સ્વરે વિજ્ઞપ્તિ કરી કેઃ ભગવન્ ! આપ વિદ્યાના સાગર છે. આપ એવા કાઈ ઉપાય કરા કે જેથી અમને એ પાષાણુ-પાટમાંથી નિરમાયેલી જિન મૂર્તિના જલ્દી દર્શન થાય.”
પછી તા–મિસાધ્યું મહાત્મનામ્ ?” શ્રાવકની વિજ્ઞપ્તિ સાંભળીને આચાય ભગવંતે અદ્ભૂમતપ કરવાપૂર્વક શ્રી પદ્માવતી દેવીની આરાધના કરી.
અને ખરેખર ! અચિત્ત્વ છે એ તપના પ્રભાવ. અઠ્ઠમતપના પ્રભાવથી આકર્ષોંચેલા પદ્માવતી દેવી પણ સૂરિરાજ પાસે આવ્યા, અને પાતાને ખેલાવવાના કારણની પૃચ્છા કરી.
સૂરિદેવે પાષાણુ-ફલહીની વાતના નિર્દેશ કરતાં પૂછ્યું: “ભગવતિ ! આ ફૂલહીમાંથી કયા ઉપાયે જલ્દી પ્રતિમા અને ?”
દેવીએ કહ્યું: “ભગવન્ ! સાપારક નગરમાં એક અંધ સ્થપતિ-શિલ્પી વસે છે, તે અહી આવે, અઠ્ઠમતપ કરે, સૂર્યાસ્ત પછી મૂતિ ઘડવાના પ્રારંભ કરે, અને સવારે સૂર્ય ઉગ્યા પહેલાં જ મૂર્તિનુ સાંગેાપાંગ નિર્માણ કરી લે, તેા મૂર્તિ જલ્દી બને. અને એ મૂર્તિ અચિંત્ય મહિમાવંત થાય.”
આમ જણાવી, સૂરિરાજની રજા લઈ ને પદ્માવતી સ્વસ્થાને ગયા. સૂરિભગવંતે એ બધી હકીકત શ્રાવકાને જણાવી.
ગુરૂભગવ'તની દ્દિવ્ય તપઃશક્તિને અભિનંદતા એ શ્રાવકેાએ પ્રસન્નચિત્ત ગુર્વાજ્ઞા લઈ ને અંધ-સૂત્રધારને માલાવી લાવવા માટે સેાપારકનગરે કેટલાંક ચેાગ્ય પુરૂષોને મોકલ્યા. સૂત્ર ધાર પણ શ્રીસ ંઘના નિમ ંત્રણથી સંતુષ્ટ બનીને સેરીસા આવ્યા. એ પણ શ્રદ્ધાળુ આત્મા હતા. * વિવિધ તીર્થંકલ્પ=અયેાધ્યાપુરીકલ્પના આધારે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org