________________
શાસનસમ્રાટ્
લેવાણા નથી, માટે તમારે કોઇ પણ ગ્રન્થની રચના કરવી, અને લાભ મેળવવા. મારે દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરવું છે. પણ મારા કર્માંના ઉદયથી મારા શરીરને વ્યાધિ ઘણી ઉત્પન્ન થયેલી છે, તેથી ખરાખર બની શકતું નથી. પણ સંસાર ઉપર કાઈ જાતના માહ રહ્યો નથી.
ર
મુનિ મહારાજ યશેાવિજયજી ઉપાધ્યાયજીના ગ્રંથ વાંચી મહારા રામરાયમાં જ્ઞાન પ્રસરી રહ્યુ` છે. તમે છેલ્લી વખત અહીં આવી હરિભદ્રસૂરિના અષ્ટક વાંચી મને જે આનૐ આપ્યા છે, તે જોઈ તે ઉપરથી તમારા જ્ઞાનના વિચાર કરતાં મને ઘણા આનદ થયા છે. સ. ૧૯૬૪ના કારતક વદી ૨ શુક્રવાર
૬. ખાલચંદ (પૂજ્યશ્રીના સંસારી–લઘુબંધુ) ની વંદના ૧૦૦૮ વાર અવધારશોજી.’
કેવે। આત્મ-સતાષ નીતરે છે આ પત્રના શબ્દોમાંથી ? જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર તમન્ના, અને અને તે કિ ંચિઢશે ફળેલી હાવા છતાંય સર્વાંગે નથી ફળતી-કમેયિને લીધે, એનુ કેવુ દુઃખ વ્યક્ત કર્યુ છે-લક્ષ્મીચંદભાઇએ ? ભવભીરૂતા અને નિખાલસતા તે એમાં ભારાભાર ભરી છે. પેાતાની મેાડુ-દશાને આમ ખુલ્લે દિલે એકરાર કરવા-દીક્ષા વખતે પોતે જે થાડો ઘણા અંતરાય ઉભા કર્યાં હતા, તે બદલ ક્ષમા યાચવી, એ કેાઇ સામાન્ય વ્યક્તિથી બની શકે તેમ નથી. એ તેા શ્રી લક્ષ્મીચંદભાઈ જેવા જ્ઞાની–ઉંડા અભ્યાસી પિતાથી જ બની શકે.
ધન્ય છે દ્રવ્યાનુયાગના ઉંડા અભ્યાસી એ લક્ષ્મીચંદભાઈ ને ! કે જેમની આવી ભવ્ય ભાવનાએ આપણા જીવનને પણ ઉજ્જવલ બનાવવા સદૈવ પ્રેરે છે. ધન્ય છે એ મહાન્ પિતાને, કે જેમના કુળમાં આપણા ચરિત્રનાયકશ્રી જેવા પુત્ર-યુગપુરૂષ પુત્રરત્ન પાકયા.
મહુવાથી વિહાર કરી, તળાજા, શહેાર, વળા, બરવાળા, ધંધુકા થઈ પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યાં. સ’. ૧૯૬૧નુ' આ ચામાસુ તેઓશ્રીએ અમદાવાદ-પાંજરાપેાળ ઉપાશ્રયે કર્યુ.
[૨૪]
ક્ષેત્રપનાના પ્રભાવ
ચામાસુ પૂરૂં થયા બાદ અમદાવાદથી વિહાર કરી પૂજ્યશ્રી શ્રીભાયણીતીની યાત્રાર્થે પધાર્યાં. માગ માં કલોલ ગામ આવ્યુ.
આ લેાલ ગામ વડોદરા સ્ટેટના કડી પ્રાંતના કલોલ તાલુકાનું મુખ્ય ગામ હતું. વર્ષો પૂર્વે અહી” મૂર્તિ પૂજક જૈનોના ઘણા ઘર હતા, તથા શ્રીનેમિનાથપ્રભુનુ એક દેરાસર પણ હતુ. પણ ધીરેધીરે ગામમાં શ્રાવકાની વસતિ ઓછી થઈ જતાં તે પ્રભુજી પેથાપુર લઈ ગયાની લોકવાયકા હતી. દેરાસર ખડિયેરની દશામાં પડયું હતુ, અને તે જગ્યા શેઠ જેચ દ ખાડીદાસના વારસદારોના કબજામાં હતી. એ જેચંદભાઈના પુત્ર શેઠ ઘેલાભાઈ તથા તેમના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org