________________
શાસનસમ્રાટ્
ત્યાંથી વિહાર કરી–રામપુરા ભંકોડા, પાંચાસર, શ્રી શખેશ્વરજી તી, પાટડી, બજાણા, ખેરવા થઈને પૂજ્યશ્રી વઢવાણુ પધાર્યા. ત્યાં કેટલાક દિવસ સ્થિરતા કરી, લીંબડી, ખાટાદ વગેરે ગામામાં થઈ ને તેએશ્રી ભાવનગર પધાર્યાં.
૯૦
ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. પૂ. સંઘની કોન્ફરન્સનું છઠ્ઠું અધિવેશન થયું. એના પ્રમુખ તરીકે પૂજ્યશ્રીના અનન્ય ભક્ત શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ હતા. ભારતમાં જુદા જુદા શહેરોમાં વસતા મેટાં શ્રેષ્ઠિવો એમાં ભાગ લેવા આવ્યા હતા. એ કોન્ફરન્સમાં આપણા ચરિત્રનાયકશ્રીએ પ્રતિદિન કલાકે સુધી પોતાની પ્રભાવશાલી છટાથી અને હૈયાસેાંસરવી ઉતરી જાય એવી વાણીથી જૈન સંઘના મહાન્ તીર્થો-શ્રીસમેતશિખરજી, શ્રીગિરનારજી, શ્રીશત્રુંજય વગેરેની સુરક્ષા માટે ઉપદેશના ધેાધ વહાવ્યે. એના પડઘા અપૂર્વ પડ્યો. આ પ્રવચનેએ તીથ રક્ષા માટે લેને ચેતનવંતા અને જાગૃત બનાવી દીધા. પૂજ્યશ્રીના આ વ્યાખ્યાનામાં ભાવનગર સ્ટેટના દ્વિવાન સર પ્રભાશંકરભાઈ પટ્ટણી, નડિયાદના ગાયકવાડી સુખ શ્રીનાનાસાહેબ. તથા જુનાગઢના દિવાન વગે૨ે રાજ્યાધિકારીએ આવતા, અને ઉપદેશ -શ્રવણુ કરીને પ્રભાવિત બનતા.
આ વખતે–તપાગચ્છમાં એક પણ સમથ આચાય મહારાજ નહાતા. તેથી કોઈ સમથ -પ્રતિભાસંપન્ન અને શાસન પ્રભાવક મુનિવરને આચાય પદે સ્થાપવાના વિચાર। શ્રી સંધમાં ચાલતા હતા. જેઆએ વિધિપૂર્વક ચેગેાદ્વહન કર્યા હાય, તેમને આચાર્ય પદ આપવુ એ જ શાસ્ત્રવિહિત હતુ .
એની ચેાગ્યતા પૂ.૫. શ્રી ગંભીરવિજયજી મ. તથા મુનિપ્રવર શ્રી મણીવિજયજી મહારાજે આપણા પૂજ્યશ્રીમાં દરેક રીતે જોઈ. તેઓએ શ્રીસંઘને એ હકીકત જણાવી, કેન્ફરન્સ પ્રસંગે ભારતભરના સોંઘાગ્રણીઓ એકત્ર થયેલા. તેમણે આ વાત વધાવી લીધી. અને પૂજ્યશ્રીને આચાર્ય પદવી આપવા માટે પૂ. પંન્યાસજી મ.ને વિન ંતિ કરી. પૂ. પંન્યાસજી મહારાજે પણ પેાતાના લઘુગુરૂબંધુ તથા આપણા ચરિત્રનાયક પૂ. પં. શ્રી નેમિવિજયજી મહારાજને શ્રી સૂરિમંત્રના પંચપ્રસ્થાનની એળીની આરાધના શરૂ કરાવી. અને જેઠ મહિનામાં શુદ પાંચમને દિવસ આચાર્ય પદવી માટે નિયત કરવામાં આવ્યા. એ અનુસાર શ્રીસ ંઘે ઘણા જ ઠાઠમાઠથી મહેાત્સવ ઉજવવે શરૂ કર્યાં. એ મહેાત્સવનુ' સવિસ્તર ખ્યાન આપણે તે વખતના જૈન ધમ પ્રકાશ” માસિકમાંથી મેળવીએ.
ભાવનગરમાં આચાર્ય પદવીના મહાન્ ઉત્સવ
શાસ્ત્રાનુસાર વિચાર કરતાં મુનિ મહારાજના સમુદાયમાં આચાય ઉપાધ્યાયાદિ પાંચે પદની ખાસ આવશ્યકતા છે. શ્રી વિજયસિંહસૂરિ મહારાજની આજ્ઞાથી પન્યાસજી શ્રીસત્યવિજય એ ક્રિયાઉદ્ધાર કર્યાં તે વખતે તેમને આપેલ પડિતપદ્મ તે એક પ્રકારના આચાય જ ોધક છે. ત્યારપછી ઘણા કાળ પન્ત પ્રતીક્ષા કર્યા છતાં મુખ્ય પટ્ટધર આવનારા આચાર્ય નિપરદિન વિશેષ શિથિલ થતા ગયા. ક્રમેક્રમે પાંચે મહાવ્રતાના લાપ થયા અને મુનિપણું પણ તેમનામાંથી કથાશેષ થઇ ગયું. તેમના સુધરવાની – ક્રિયાઉદ્ધાર કરવાની આરા બિલકુલ નાબુદ થઈ ગઈ, એટલે છેદસૂત્રના કથનાનુસાર ભગવતી સૂત્ર પર્યંતના યોગાદ્વાહી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org