________________
તીર્થોદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ
૧૦૧ શ્રી કદમ્બગિરિજીમાં બિરાજમાન શ્રી આદીશ્વરપ્રભુના ગણધર શિષ્ય-શ્રીનાભગણધરને ચકવતી ભરતદેવે પૂછયું : હે ભગવન્ ! આ અતિવિખ્યાત થયેલા ગિરિરાજને શે પ્રભાવ છે? તે કહે.
ગણધર ભગવંત બેલ્યાઃ હે ચકિન ! આ ગિરિવરના પ્રભાવની તમને જિજ્ઞાસા છે, તે તમે ધ્યાન દઈને એ પ્રભાવ સાંભળે.
ગત–ઉત્સર્પિણીકાળમાં “શ્રી સંપ્રતિજિને નામે ચોવીસમા તીર્થંકર થયા. તેમના શ્રી કદમ્બ” નામના ગણધર એક ઝાડ મુનિવરેની સાથે આ ગિરિવર પર સિદ્ધિપદ પામ્યા, માટે આ ગિરિનું નામ “શ્રીકદમ્બગિરિ પ્રસિદ્ધ થયું.
આ શ્રીકદમ્બગિરિમાં દિવ્ય પ્રભાવથી ભરપૂર ઔષધિઓ, રસપાઓ, રત્નખાણે, અને કલ્પવૃક્ષે વિ. દિવ્ય વસ્તુઓ રહેલી છે.
ઉત્તમ વાર યુકત દિવાળીના દિવસે, અને અને ઉત્તરાયણ (મકર) સંક્રાતિના દિવસે જે પુરુષ આ ગિરિ ઉપર મંત્રમંડળ આલેખીને મંત્રજાપ કરે, તેને દેવે પ્રત્યક્ષ થાય છે.
આ સંસારમાં એવી કઈ ઔષધિ નથી, એવા કોઈ રસકું ડ નથી, કે એવી કઈ મહાસિદ્ધિઓ નથી, જે આ ગિરિરાજમાં ન હોય.
સકળ સિદ્ધિઓના આવાસ સમે આ ગિરિરાજ જે દેશમાં વિલસી રહ્યો છે, તે સૌરાષ્ટ્ર દેશ-વાસી લેકે દારિદ્રયથી ન જ પીડાય.
અને આવા મહાન પ્રભાવ-ભરપૂર કદમ્બાચલની છાયા મળવા છતાંયે જે આત્માનું દારિદ્રય નષ્ટ નથી થતું, તે ખરેખર ! આ દુનિયામાં કદાચ સર્વાધિક નિભંગી છે.
જે પુણ્યશાલી પ્રાણુ ઉપર આ ગિરિવર પ્રસન્ન થયા, તેની ઉપર કામધેનુ, કલ્પવૃક્ષ, અને ચિન્તામણિ, એ બધાં પ્રસન્ન જ છે, એમ સમજવું.
નિભંગી આત્માનું દારિદ્રય જેમ આ ગિરિ દૂર કરે છે, તેમ આ કદંબગિરિ ઉપર રહેલી દીપક સમી દિવ્ય ઔષધિઓ પિતાના પ્રકાશમાન કિરણો વડે રાત્રિને વિષે અંધકારને પણ હરે છે.
રૂચકાચલની જેમ આ ગિરિ ઉપર પણ અભીષ્ટફલદાયક છાયાવૃક્ષો અને કલ્પવૃક્ષે શાશ્વતકાળથી છે, અને તે પ્રાણિઓને સ્વેચ્છા મુજબ ફળ આપે છે.
વર્ષા ઋતુમાં વાદળ-દળથી ઢંકાયેલા સૂર્યના કિરણે જેમ મનુષ્યને દૃષ્ટિગોચર નથી થતા, તેમ એ દિવ્ય-કલ્પવૃક્ષાદિ આ ગિરિમાં હોવા છતાં કાલ-હાનિના પ્રભાવે નહિ દેખાય.
શ્રીયુગાદીશ્વર પ્રભુના પગલાં સહિત રાયણવૃક્ષવાળ–શ્રી શત્રુંજય ગિરિના મુખ્ય શિખરની જેમ તેનું આ શ્રી કદમ્બગિરિ–શિખર પણ પાપ-પંકને નાશ કરનારું છે. આ લોક અને પરલેકમાં ઉપકારક આ શિખર અત્યારે જેમ અતિવિખ્યાત છે. તેમ ભાવિમાં પણ ખૂબ ખ્યાતિને પામશે.
આવો આ મહાતીર્થને-કદંબગિરિને અચિંત્ય મહિમા છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org