________________
૧૦૮
શાસનસમ્રાટ્
હવે ચામાસું શરૂ થયું. મેહૂલા રાજા નિ ધપણે લૂછ્યા. ખેડૂતને ખેતીની માસમ
રાર્ થઈ.
પૂજ્યશ્રીની નિર્મળ−વાણીની સરવાણી પણુનિ ધપણે વહેવા લાગી. શ્રાવકોભાવિકાને ધમની મેાસમ શરૂ થઈ.
શ્રીપન્નવાસૂત્ર તથા પરિશિષ્ટ પર્વની પાવન દેશના પૂજ્યશ્રી પ્રતિદિન ફરમાવવા લાગ્યા.
મેઘધ્વનિ શી ગંભીર, અને જળ ભરેલી નદી શી નિર્મળ એ દેશના સાંભળવા માનવાની 8× જામતી. વૈરાગ્યરસભરપૂર એ વાણીએ લેાકેાના હૈયા ઉપર અદ્ભુત આકર્ષણ જમાવી દીધું હતું.
પર્યુષણા પર્વ પછી શ્રીસ ંઘે વિપુલ દ્રવ્ય ખચી ને અઠ્ઠાઈ મહાત્સવ ઉજવ્યો.
આ ચામાસામાં પૂજ્યશ્રીએ જૈન શ્વે. મૂ. પૂ. ઐસેાસિએશન (Assossiation) નામની સસ્થાની સ્થાપના કરી—
તેમાં અમદાવાદના ગૃહસ્થા પણ સભ્ય (Members) તરીકે જોડાયા.
આમ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો આ ચામાસામાં થયા, અને ચામાસું પૂ
થયું.
ચામાસાના વરસાદથી જામી ગયેલા કાદવ-કીચડ હવે સુકાયા હતા, અને એથી રસ્તા
સ્વચ્છ થઈ ગયા હતા.
મખમલની વિશાળ જાજમશી અઢારે ભાર હરિયાળી વનસ્પતિ પૃથ્વી-પટ ઉપર મયૂરની જેમ વિધવિધ કળા કરતી સેહી રહી હતી.
મેઘ-રાજાની મહેરથી વર્ષાની હેલી પામીને ઉન્મત્ત બનેલા મયૂરો, અને તૃપ્ત થયેલા ચાતક–માળ અશ્રાન્તપણે પુનઃ વર્ષાઋતુની વાટ જોઈ રહ્યા હતા.
શીયાળાની શરૂઆત થઈ ચૂકી હતી. સૂર્યનારાયણ પોતાના સમશીતેાધ્યુ કરા વડે શીતથી ભયભીત બનેલા લાકોને આશ્વાસી રહ્યા હતા.
ચામાસુ પૂર્ણ થવાથી સાધુ-ભગવંતાના વિહાર પણ છૂટા થયા હતા. અનેક મુનિવર દેશ-પ્રદેશમાં વિચરીને જિનધર્માંના કલ્યાણકર રાહુ ભાવિકાને દેખાડવામાં તત્પર અન્યા હતા. એવે ટાણે—આપણા પૂજ્ય ચરિત્રનાયક સૂરિદેવ પણ બેટાદથી અમદાવાદ તરફ વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા.
આ વખતે લીંબડી સ્ટેટના ધર્મપ્રેમી તથા પ્રજાપ્રિય નામદાર મહારાજા શ્રી દોલતસિંહજી બહાદુર કોઈ કાય પ્રસંગે અમદાવાદ ગયેલા. શેઠશ્રી મનસુખભાઈ અને ના. મહારાજાના સબંધ ખૂબ ઘનિષ્ઠ હતા. શેઠશ્રી ના. મહારાજાના ખૂબ હિતચિંતક હતા. અને તેથી ના. મહારાજાના શેઠશ્રી પ્રત્યે એટલા બધા આદરભાવ હતા, કે જ્યારે જ્યારે શેઠશ્રી લીંબડી આવે, ત્યારે ના. મહારાન્ત પેાતાન! એક મહાન હિતૈષી વડીલ તરીકે તેમનુ એન્ડ-વાજા સાથે સામૈયુ' કરતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org