SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થોદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ ૧૦૧ શ્રી કદમ્બગિરિજીમાં બિરાજમાન શ્રી આદીશ્વરપ્રભુના ગણધર શિષ્ય-શ્રીનાભગણધરને ચકવતી ભરતદેવે પૂછયું : હે ભગવન્ ! આ અતિવિખ્યાત થયેલા ગિરિરાજને શે પ્રભાવ છે? તે કહે. ગણધર ભગવંત બેલ્યાઃ હે ચકિન ! આ ગિરિવરના પ્રભાવની તમને જિજ્ઞાસા છે, તે તમે ધ્યાન દઈને એ પ્રભાવ સાંભળે. ગત–ઉત્સર્પિણીકાળમાં “શ્રી સંપ્રતિજિને નામે ચોવીસમા તીર્થંકર થયા. તેમના શ્રી કદમ્બ” નામના ગણધર એક ઝાડ મુનિવરેની સાથે આ ગિરિવર પર સિદ્ધિપદ પામ્યા, માટે આ ગિરિનું નામ “શ્રીકદમ્બગિરિ પ્રસિદ્ધ થયું. આ શ્રીકદમ્બગિરિમાં દિવ્ય પ્રભાવથી ભરપૂર ઔષધિઓ, રસપાઓ, રત્નખાણે, અને કલ્પવૃક્ષે વિ. દિવ્ય વસ્તુઓ રહેલી છે. ઉત્તમ વાર યુકત દિવાળીના દિવસે, અને અને ઉત્તરાયણ (મકર) સંક્રાતિના દિવસે જે પુરુષ આ ગિરિ ઉપર મંત્રમંડળ આલેખીને મંત્રજાપ કરે, તેને દેવે પ્રત્યક્ષ થાય છે. આ સંસારમાં એવી કઈ ઔષધિ નથી, એવા કોઈ રસકું ડ નથી, કે એવી કઈ મહાસિદ્ધિઓ નથી, જે આ ગિરિરાજમાં ન હોય. સકળ સિદ્ધિઓના આવાસ સમે આ ગિરિરાજ જે દેશમાં વિલસી રહ્યો છે, તે સૌરાષ્ટ્ર દેશ-વાસી લેકે દારિદ્રયથી ન જ પીડાય. અને આવા મહાન પ્રભાવ-ભરપૂર કદમ્બાચલની છાયા મળવા છતાંયે જે આત્માનું દારિદ્રય નષ્ટ નથી થતું, તે ખરેખર ! આ દુનિયામાં કદાચ સર્વાધિક નિભંગી છે. જે પુણ્યશાલી પ્રાણુ ઉપર આ ગિરિવર પ્રસન્ન થયા, તેની ઉપર કામધેનુ, કલ્પવૃક્ષ, અને ચિન્તામણિ, એ બધાં પ્રસન્ન જ છે, એમ સમજવું. નિભંગી આત્માનું દારિદ્રય જેમ આ ગિરિ દૂર કરે છે, તેમ આ કદંબગિરિ ઉપર રહેલી દીપક સમી દિવ્ય ઔષધિઓ પિતાના પ્રકાશમાન કિરણો વડે રાત્રિને વિષે અંધકારને પણ હરે છે. રૂચકાચલની જેમ આ ગિરિ ઉપર પણ અભીષ્ટફલદાયક છાયાવૃક્ષો અને કલ્પવૃક્ષે શાશ્વતકાળથી છે, અને તે પ્રાણિઓને સ્વેચ્છા મુજબ ફળ આપે છે. વર્ષા ઋતુમાં વાદળ-દળથી ઢંકાયેલા સૂર્યના કિરણે જેમ મનુષ્યને દૃષ્ટિગોચર નથી થતા, તેમ એ દિવ્ય-કલ્પવૃક્ષાદિ આ ગિરિમાં હોવા છતાં કાલ-હાનિના પ્રભાવે નહિ દેખાય. શ્રીયુગાદીશ્વર પ્રભુના પગલાં સહિત રાયણવૃક્ષવાળ–શ્રી શત્રુંજય ગિરિના મુખ્ય શિખરની જેમ તેનું આ શ્રી કદમ્બગિરિ–શિખર પણ પાપ-પંકને નાશ કરનારું છે. આ લોક અને પરલેકમાં ઉપકારક આ શિખર અત્યારે જેમ અતિવિખ્યાત છે. તેમ ભાવિમાં પણ ખૂબ ખ્યાતિને પામશે. આવો આ મહાતીર્થને-કદંબગિરિને અચિંત્ય મહિમા છે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy