________________
શાસનસમ્રાટ્
ડોકટર કહે ઃ પણ શેઠ ! માણેકભાઈની 'તખીયત આવી નરમ છે. તેમની સારવાર હું કરૂ છુ, તે છેડીને મારાથી કઈ રીતે જવાય ?
૭૪
આ સાંભળીને શેઠ ગદ્દગદ કંઠે મેલ્યા, ડેકટર ! જોકે ધર્મોના પ્રભાવથી મારા ‘માણેક’ સારા થઇ જ જશે. છતાંય મારી એની સાથે લેણાદેણી આછી નીકળે, અને એના શરીરને કાંઈ થાય તે તે ફકત મને અને મારા કુટુંબને જ દુઃખકર થશે. પણ પૂ. મહારાજજીના શરીરને કાંઈ થયું તે તે સમગ્ર હિન્દુસ્તાનના સંઘને અને શાસનને માટે દુઃખકર થશે. માટે તમે જવાબ આપ્યા સિવાય આ જ ઘડીએ વરતેજ જાવ.”
જૈન સમાજના અને ભારતના એક ક્રોડપતિ શ્રેષ્ઠિવ ની શુરુ-ભકિત કેવી અનન્ય હતી, દેવ-ગુરુ, ધમાઁ ઉપર કેટલી દૃઢ શ્રદ્ધા હતી, અને શાસનના હિતની કેટલી તેમના દિલમાં ફિકર હતી, તે આ પ્રસ’ગ પરથી સમજી શકાય છે. આવી અસાધારણ, જેના જોટો ન જડે એવી ગુરુભકિત, ખરેખર ! આપણ સૌને માટે અનુકરણીય જ છે.
ડોકટર પણુ તત્કાળ વરતેજ ગયા. ખીજે જ દિવસે પૂજયશ્રીના પરિશ્રમજન્ય-તાવ ઉતરી ગયા. આથી પૂજય પંન્યાસજી મ., ડાકટર તથા શેડ નિશ્ચિંત થયા.
ચામાસાના શેષ ભાગ વરતેજમાં વિતાવીને ત્યાંથી સર્વ મુનિવયે વલભીપુર (વળા) પધાર્યાં.
[૨૨]
ગણિ–પન્યાસ પદવી
વળા એ સૌરાષ્ટ્રના ઇતિહાસ-પ્રસિદ્ધ નગર વલભીપુરનુ' અપભ્રંશ ભાષાનુ ં અભિધાન છે. જૈન ઇતિહાસ પ્રમાણે-આ વલભીપુરમાં જ પૂ. શ્રીદેવધિ ગણિક્ષમાશ્રમણના નેતૃત્વ તળે જૈન આગમાને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા હતા.
‘શત્રુંજય માહાત્મ્ય’ના પ્રણેતા ભગવાન્ ધનેશ્વરસૂરિજી મહારાજે વલભીરાજ શિલાદિત્યને પ્રતિધ આપીને જૈનમતાનુયાયી બનાવેલે.
મહાન્ જૈનાચાય શ્રીમલવાદી સૂરિ મહારાજજી આ વલભીપુરના મહારાજા શિલાદિત્યના ભાણેજ હતા.
કાળક્રમે–એક મહાન્ સામ્રાજ્યના સ્થંભ સમાન આ વલભીના ભંગ થયેા, પરચક્રના– મ્લેચ્છાના હાથે. પછી એના નામના પણ ભ્રંશ થયા. વલભીનુ વલડી, વલઈ અને છેવટે વળા. થયુ. પછીથી આપણા મહાન ચરિત્રનાયકશ્રીની પ્રેરણાથી વલભીપુરના નામદાર ઠાકોર સાહેબ શ્રી ગંભીરસિંહજીએ પ્રયાસ કરી પુનઃ ‘શ્રીવલભીપુર' એવું ઐતિહાસિક-મૂળનામ પ્રવર્તાવેલું.
આ વલભીપુરમાં પૂ. ગુરૂદેવે પધાર્યા .અહીંના નેક નામદાર ઠાકોર સાહેબશ્રી વખતસિંહજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org