________________
૫૪
શાસનસમ્રાટું
ક–અક્ષર વિ. ની ગણત્રી કરવા માટે બીજા માણસની ગોઠવણી કરી. આ રીતે શ્રી ધેળશાજીની પરમ-ભક્તિને લીધે પૂજ્યશ્રી પાસે સારે એ પુસ્તક-સંગ્રહ થયો.
ચોમાસું પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રીને વિહાર-સમયે જોળશાજીએ આ બધાં પુસ્તક અન્યત્ર મેકલી આપવા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી. પૂજ્યશ્રીની સંમતિથી તેમણે તે સર્વ પુસ્તકે કપડવણજ મેકલી આપ્યા, અને ત્યાંથી ખંભાત મેકલી આપવામાં આવ્યા. આ બધાં પુસ્તકે આજે પણ ખંભાતના જ્ઞાનભંડારમાં સુરક્ષિત-વ્યવસ્થિત છે.
નગરશેઠ શ્રમણભાઈને પૂજ્યશ્રી પ્રત્યે ખૂબ ખૂબ અનુરાગ હતો. પૂજ્યશ્રી જ્યારે જયારે વિહારની વાત કરે, ત્યારે તેઓ અત્યાગ્રહ કરીને વિહાર કરવા ન દેતા. પણ “સાધુ તે ચલતા ભલા.” એટલે એકવાર નગરશેઠ મુંબઈ ગયા હતા, ત્યારે પૂજ્યશ્રીએ અમદાવાદથી વિહાર કર્યો. અને કપડવણજ પધાર્યા.
[૧૭]
સ્તમ્ભતીર્થમાં બે માસાં -
મ0એણુ વંદામિ, સાહેબ !” ખંભાતના આગેવાન શ્રેષ્ઠિ શ્રી પિપટભાઈ અમરચંદ વગેરેએ કપડવંજમાં બિરાજમાન-આપણા પૂજ્ય ચરિત્રનાયકશ્રીને ભાલ્લસિત હૈયે વન્દન કર્યા.
ધર્મલાભ !” પ્રભાવના-પુંજ શા પૂજ્યશ્રીએ પ્રસન–વદને આશીર્વચન ઉચ્ચાર્યા.
દયાળુ ! શેઠશ્રી પિપટભાઈએ વન્દન કરીને બેઠા પછી કહ્યું: “અમારા ખંભાતના શ્રીસંઘની ભાવના અને વિનંતિ છે કે-આપ સાહેબ ખંભાત પધારે, અને આ ચોમાસું ત્યાં જ કરો. આપના પધારવાથી ત્યાં ધર્મને ઘણે ઉદ્યોત થશે.”
પૂજ્યશ્રીએ લાભાલાભને વિચાર કરીને તેમની વિનંતિને સ્વીકાર કરતાં કહ્યું “વર્તમાન ગ.” અને ખંભાતના શ્રીસંઘમાં આનંદનું મોજું ફરી વળ્યું. - થોડા દિવસ કપડવંજ સ્થિરતા કરીને વૈશાખમાસ લગભગ પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. અને ૧૫૪નું ચાર્તુમાસ ત્યાં કર્યું. - આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીને જ્ઞાનના પઠન-પાઠન માટે શેઠશ્રી અમરચંદ પ્રેમચંદભાઈને ઉપદેશ આપે. તેમણે એ ઉપદેશ ઝીલી લીધે, અને પૂજય મહારાજશ્રીના ઉપદેશથી પાઠશાળા સ્થાપવી, ને તેમાં પિતાના તરફથી ૧૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું. - શ્રી અમરચંદભાઈનું જીવન-શુદ્ધ દેરાવિરતિધર શ્રાવકનું જીવન હતું. પિતાના જીવનમાં તેમણે અઢળક ધર્મ–કાર્યો કર્યા. એક વર્ષ પણ એવું ન હોય, કે જેમાં તેમના તરફથી ધાર્મિક-મહત્સવ ન થયે હેય. તેમણે તીર્થયાત્રાના છ “રી પાળતા સંઘ પણ કાઢેલા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org