________________
ફરી સેટી
નેમચંદને સમજાવવામાં રૂપશ કરભાઈ નિષ્ફળ ગયા, એ જાણીને શ્રી લક્ષ્મીચંદભાઈ વધારે સર્ચિંત અન્યા. પણ રૂપશ કરભાઈ એ તેમને આશા આપો કે હજી આપણી પાસે ઉપાય છે. હુ' અને આપણા ન્યાયધીશ–સાહેબ પાસે લઈ જઈશ. એમનાથી એ જરૂર માનશે. લક્ષ્મીચંદભાઈ પણ આ સાંભળી-કઈક આશ્વસ્ત મન્યા.
ત્યાર પછી એક દિવસ રૂપશ કરભાઈ આપણા ચરિત્રનાયકશ્રીને પેાતાના મિત્ર ન્યાયાધીશ સાહેબ પાસે લઈ ગયા. તેને પહેલેથી જ બધી વિગતથી વાકેફ્ કરી દીધા હતા. પણ નેમચંદભાઈ તા ભારે નીડર નીકળ્યા. ડરવું તેા તેમને નામ પણ સ્પેશ્યું નહેાતું. તેમણે વિચાયુ કે આપણે કોઈ ગુના કે અપરાધ કર્યાં નથી, પછી ખીક શાની ? તેઓ નિર્ભય અને સ્વસ્થ-મને ન્યાયાધીશ સાહેબ પાસે ગયા. તેઓએ પણ તેમને આવકાર આપ્યા--મેસાડવા, અને પરસ્પર કુશલ–સમાચાર પૂછ્યા. એ બધા વિધિ પતી ગયા પછી તેમણે શ્રી નેમચ ંદભાઈની ઉલટ તપાસ શરૂ કરીઃ, “તારુ નામ શું છે ?”
મારું નામ નેમચંદ છે, સાહેબ !” તેમણે સ્વસ્થતાથી જવાબ આપવા માંડ્યા. ન્યાયાધીશઃ મેં સાંભળ્યું છે કે તું દીક્ષા લેવાની ઇચ્છા ધરાવે છે ?”
નેમચંદઃ “જી હા! એ વાત તદ્દન સાચી છે.”
ન્યાયાધીશઃ “શા માટે દીક્ષા લેવી છે?”
નેમચંદઃ આત્માનું કલ્યાણ કરવા માટે.”
ન્યાયાધીશ: “શું ઘેર રહીને આત્માનું કલ્યાણુ નથી કરી શકાતું ?”
“ના ! ઘરે રહીને આત્માનું પૂર્ણ કલ્યાણ સાધી શકાય જ નહીં. ઘર એટલે સંસાર, અને સંસાર એટલે આધિ-વ્યાધિ-અને ઉપાધિનું સંગમસ્થાન. આવા સ ંસારમાં રહીને આત્માનું કલ્યાણુ શી રીતે સધાય ? સંસારથી સર્વથા નિલેપ બનીએ, તેા જ પૂર્ણ -આત્મકલ્યાણ સધાય. એવી નિલેપતા તા સાધુપણામાં જ મળે. બાકી સંસારમાં રહીને આત્મકલ્યાણ સાધવું એ તે ખાતાં-ખાતાં ભસવા સમાન છે.” નેમચંદભાઈ એ યુક્તિપુરઃસર સચાટ જવાખ વાગ્યે.
૧૭
આ સાંભળીને ન્યાયાધીશ સાહેબ પણ છ બની ગયા. મનોમન શ્રી નેમચંદભાઈની પ્રશંસા કરવા લાગ્યા કે આટલા નાના કિશાર પણ કેવી યુક્તિથી જવાબ આપે છે ? ખરેખર! આ કિશાર વિવેકી અને બુદ્ધિમાન હેાવા સાથે પેાતાની વાતમાં દૃઢ છે. પણ એમને તેા આ કિશોરને મન-પલટો કરવાના હતા, એટલે છક્ક બનીને બેસી રહે કેમ ચાલે ? તેમણે અવાજમાં જરા કરડાકી આણી અને આગળ પ્રશ્ન કર્યાં :
“તેમચંદ ! તારા કુટુંબને માતા-પિતા, ભાઈ અને બહેનેાને સાચવવાની જવાબદારી હવે તારી છે. તું આત્માનું કલ્યાણ કરવાની વાત કરે છે, તે શુ મા-બાપની સેવા કરવી, એ તારા ધમ-તારી ફરજ નથી ? આ વાતના વિચાર કરીને તું દીક્ષાની વાત મૂકી દે, અને મા-બાપની સેવામાં લાગી જા.”
ન્યાયાધીશ સાહેબની કરડાકીથી મનમાં જરા પણ થડકાટ અનુભવ્યા વગર નિભી ક નેમચંદભાઈ એ એવી જ નીડરતાથી પ્રત્યુત્તર આપ્યાઃ “સાહેબ ! માત-પિતા અને કુટુંબની
શા. ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org