________________
}
શાસનસમ્રાર્
મૂર્તિ પૂજા એ જ સત્ય ને શાસ્ત્રવિહિત છે, એ સમજીને હજારા સ્થાનકમાના અનુયાયીઓ શુદ્ધ જૈન બની રહ્યા હતા. પંજાખમાં ઠેર ઠેર ભવ્ય જિનાલયેા થઈ ગયા હતા, તેને થઇ રહ્યા હતા. આ બધાંના પરિણામે સ્થાનકવાસીઓના એકધારા શાસનને—સામ્રાજ્યને જબરદસ્ત ફટકો પડ્યો, ને તેના પાયા હાલકડોલક-અસ્થિર બનવા લાગ્યા.
આ શતાબ્દીની પહેલી પચ્ચીશી સુધીમાં સ ંવેગી મુનિએની સંખ્યા માંડ ૨૫થી ૩૦ ની જ હતી. સાધુઓમાં સંસ્કૃત-પ્રાકૃતાઢિવિષયને અભ્યાસ પણ ખડુ અલ્પ બની ગયેલા. અને તેથી જ “પÖષણામાં કલ્પસૂત્ર -સુબેાધિકા વાંચનાર સાધુમહારાજ અજોડ વિદ્વાન્”” એવી માન્યતા લેક-માનસમાં ઘર કરી ગયેલી. પણ આ વાત હવે તા ફક્ત ભૂતકાળના એક સંભારણા રૂપ અની ગઈ હતી. કારણકે-પ. પૂ. શ્રી મૂળચંદ્રજી મહારાજમાં મળેલા “સાચી સાધુતા, અોડ વિદ્વત્તા, ને નિર્ભેળ સાત્ત્વિકતા” એ ત્રણેયના પવિત્ર ત્રિવેણી સંગમથી આકર્ષાયેલા અનેક મુમુક્ષુ આત્માઓ હવે સ ંવેગી દીક્ષા ગ્રહણ કરી રહ્યા હતા. દિનપ્રતિદિન સંવેગી સાધુએની સ ંખ્યા વધતી જતી હતી. અને એ સાધુઓને પદ્ધતિપૂર્વક ન્યાય--વ્યાકરણ-આગમ વિગેરે વિવિધ સ ંસ્કૃત-પ્રાકૃત વિષયાનુ અધ્યયન કરાવવાની આદર્શ પરિપાટી પૂ. મૂળચ ંદજી મહારાજે શરૂ કરી દીધી હતી. એના ફલસ્વરૂપે ન્યાયના તથા વ્યાકરણના પ્રખર અભ્યાસી પૂજ્ય મુનિવર શ્રી દાનવિજયજી મહારાજ જેવા અનેક મુનિએ વિવિધ વિષયામાં તૈયાર થઈ રહ્યા હતા. અને ખરૂં કહેા તા-પ. પૂ. ન્યાયવિશારદ ન્યાયાચાય મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજના સમય પછી ધીમે ધીમે શિથિલ બનેલી અધ્યયન-પદ્ધતિના આ પુનર્જન્મ કાળ હતેા.
પરમ શાસનપ્રભાવક પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયાનન્તસૂરીશ્વરજી મહારાજે (શ્રીઆત્મારામજી મ.) ત્યારે પંજાબમાં સ્થાનકમાગી સાધુના ચિહ્નસમે મુહપત્તિના દોરો તાડી નાખ્યા હતા. પરમ ગુરૂદેવશ્રી ખુટેરાયજી મહારાજના સત્યધર્મ પ્રકાશક ઉપદેશથી સત્યતત્ત્વ સમજીને તેઓ પેાતાના શિષ્યગણ સાથે સંવેગીપણું-સાચું શ્રમણુપણું મેળવવા માટે ગુજરાતમાં આવવાની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા.
શેઠ હઠીસિંહ કેસરીસિહના ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠાનું, ને શેઠાણી હરકુ વરે કાઢેલ શ્રી સમ્મેતશિખરજીના સઘનું આબેહૂબ વર્ણન કરતાં પૂ. પં. શ્રી વીરવિજયજી મહારાજ રચિત ઢાળીયાં હજી લેાકજીભે રમતા હતા, લાકકઠે ગવાતા હતા.
નગરશેઠ પ્રેમાભાઈની અનન્ય ગુરુભક્તિ અને દાનેશ્વરીપણાની વાર્તાને લેાકેાના કાન આત્મ-પ્રશંસાની જેમ હાંશે હાંશે સાંભળતા હતા. નગરશેઠ પ્રેમાભાઇએ ભારતના જૈન તીર્થાંની વ્યવસ્થા કાજે સ્થાપેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની ઉંમર અત્યારે એ વર્ષની થવા આવી હતી.
પૂ. શ્રી મૂળચંદજી મહારાજ જેવા શાસનનાયક મહાપુરૂષને પિતા સમા વત્સલભાવથી ‘મૂળા’ કહીને ખેાલાવનાર વ્રુદ્ધ લહીયા લવજી જેવા નિખાલસ-ભદ્રિક ને સરલ આત્માઓને આ જમાના હતા.
આવા-ધામિક ને આધ્યાત્મિક પ્રગતિના ઉષ:કાળે દેઢીપ્યમાન ને નયનમેાહક ખાલ-રવિ શા આપણા ચરિત્રનાયકના જન્મ થયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org