________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૧ ચાહનાર) મળ્યા હોય ત્યાં સભ્ય, સભાપતિની આવશ્યકતા હોતી નથી, કેમકે-જ્યાં ખૂદ વાદી–પ્રતિવાદી પોતે જ તત્ત્વનિર્ણય કરવા યા કરાવવાના ઉમેદવાર છે ત્યાં કેઈ ઉપદ્રઅને સંભવ હોય જ શાને કે જેથી સભ્ય-સભાપતિની જરૂર હોઈ શકે? એટલું છે કે અગર પરત્વતત્ત્વનિર્ણિનીષ લાયોપથમિક જ્ઞાની સામા પ્રતિવાદીના હૃદયમાં યથાર્થ રીતે તત્વનિર્ણય ઉપર શ્રદ્ધા ન બેસાડી શકે, તે તેવા વાદ અવસરે મધ્યસ્થ સભાસદની હાજરી હોવી જરૂરની છે. જે વાદભૂમિમાં જિગીષ ન હોય અને સર્વજ્ઞ વાદી યા પ્રતિવાદી હોય, તે તે સ્થળે સભ્ય સભાપતિની જરૂર પડતી નથી. અહીં એક પ્રશ્ન ઊભું થાય છે કે-કઈ એ જિગીષ અથવા પરત્વતત્વનિણિનીષ મનુષ્ય હેય ખરે, કે જે સર્વજ્ઞને પણ યુક્તિ-પ્રપંચેથી જીતવાની અથવા તેમને તત્વજ્ઞ બનાવવાની ઈચ્છા રાખી તેમની સાથે વાદમાં ઉતરે? પરંતુ સમજવું જોઈએ કે મેહની દારુણતા સીમા વગરની છે. વિચિત્ર પ્રકૃતિના માણસથી સંસાર ભલે છે, તે પછી ઉપર કહ્યો છે કે માણસ નીકળે એમાં અસંભવ જેવું નથી. સુપ્રસિદ્ધ વાત છે કે ભગવાન શ્રી મહાવીરસ્વાઅને જીતવા માટે ઈન્દ્રભૂતિ–ૌતમ કેવા અહંકારપૂર્ણ આડંબરથી તેમની પાસે આવ્યા હતા? (પછીથી જે કે પ્રભુની મુદ્રા અને તેમના મધુર વચનેથી પ્રશાન્ત થયા. અસ્તુ.)
વાદ-કથા માટે સભાસદે એવા હેવા જોઈએ કે જેઓ વાદી-પ્રતિવાદીના સિદ્ધાન્તને સમજવામાં બહુ કુશળ હોય, તે સિદ્ધાન્તને ધારણ કરવામાં બહુ નિપુણ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org