________________
૧૭૪ ]
શ્રી જી. એ. જન ચન્થમાલા
સભ્ય શ્રદ્ધારહિત જ્ઞાનની અસાર્થકતા
શ્રદ્ધાની પ્રાપ્તિ એ સૌથી દુષ્કર છે. જ્ઞાનપ્રાપ્તિ એ દુન્યવી લેભથી પણ થઈ શકે છે, જ્યારે દુન્યવી લેજ એ સમ્યક શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શકતો નથી, ઊલટે અંતરાયરૂપ થઈ પડે છે. સાડા નવ પૂર્વને જ્ઞાની પણ અગ્નદ્વાળું રહી ગયા અને અલ્પ જ્ઞાનને ધરનારા પણ શ્રી જિનવચન પ્રત્યે નિઃશંકપણે શ્રદ્ધાળુ આત્માઓ ઉભય લોક સાધી ગયા. શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કેઅમુક અંશે પણ દુન્યવી સ્વાર્થથી નિસ્પૃહ બન્યા વગર તે પ્રગટ થઈ શકતી નથી, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના દુન્યવી સ્વાર્થથી ભરેલા આત્માઓમાં પણ દુન્યવી દષ્ટિએ ઊંચામાં ઊંચી કેટિની લાગે તેવી પણ થઈ શકે છે. એ કારણે ઉત્તમ અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા “તેનામાં કેટલું જ્ઞાન છે?” એની તપાસ એ દ્વારા થઈ શકતી નથી, પરંતુ તે કેવી જાતિની શ્રદ્ધા ધરાવે છે?” અર્થાત્ તેની શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કયા પદાર્થ ઉપર છે?” એની પરીક્ષા એ દ્વારા જ થઈ શકે છે.
ઊંચી કોટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જે અધમ કેટિની રુચિવાળું હોય, તે તે દુનિયામાં પણ ઉત્તમ ગણત નથી. મનુષ્યની પરીક્ષા તેની રુચિ ઉપર છે પણ માત્ર જ્ઞાન ઉપર નથી. ધનની રુચિવાળે જ્ઞાની પણ પાપી બને છે અને ધર્મની રુચિવાળે અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી બનવું કે નિષ્પાપ બનવું તેને મૂખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org