________________
૩૦૪] .
શ્રી જી. એ. જૈન ચન્થમાલા દૂર કરી આત્મા અને પરમાત્માને મેળ કરી બતાવે છે.
ઐક્યતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જૂદી રીતે આગ્રહ રાખનારા પુરૂષોની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે.
આત્મસ્વરૂપને અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેને અનુભવ કરાવે છે.
વિશ્વમાં જે બધે જીવસમૂહ જૂદા જૂદા સ્વરૂપે છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલ છે. આત્માને એ સ્વભાવ નથી.
આત્માને અજ્ઞાન અને વિષયે બંધન આપે છે અને સમ્યજ્ઞાન મુક્તિ આપે છે. જ્ઞાન વિના જે કેવળ શાસ્ત્રને અભ્યાસ કરે છે તે શાસ્ત્રના પુદ્ગલથી મુક્તિ થતી નથી.
સઘળા સતુશાસ્ત્રો આત્માને અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાર્ય છે.
આ જગમાં જીવને બંધન કરનાર વિષયો અને દુખે છે, જે ચાર કષાયોમાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરૂષ તેવા વિષયેથી અને દુખેથી બંધાતું નથી, કારણ કે તેને આત્માને વિષે જ પ્રીતિ–લીનતા છે.
જેમ કુવાના જળની સિદ્ધિ આવકના ઝરણું ઉપર રહેલી છે, તેમ કર્મોના ફળની સિદ્ધિ ઉંચા પ્રકારના ધ્યાનમાં રહેલી છે. એવું ધ્યાન જ પરમાર્થનું કારણ છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય-એ ચાર ભાવનાથી પુરૂષ ધ્યાનની એગ્યતાને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org