________________
૩૨૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
થતાં નાશ પામે છે. સર્વ ગુણ્ણા અને ત્રેવીશ તીર્થંકરાને માનનારા ગાશાળા એક જ ગુણી ભગવાન શ્રી મહાવીરધ્રુવની વિરાધના કરવાથી અન'ત સંસાર ઉપાર્જન કરનારા થયા.
ગુણુની આરાધના કબૂલ કરે, પણ ગુણવાનાની આરાધનાથી વિમુખ રહે કે ગુણવાળા એકની પણ વિરાધના કરે, તે પણ તે સંસારચક્રમાં રખડી પડે.
કારણ એ જ કે-ગુણવાનાની આરાધના એટલે જ્ઞાનદ ન—ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના અને એ રત્નત્રયીરૂપ ગુણવાનાની જે વિરાધના કરે, તે સ’સારચક્રમાં રખડી પડે તેમાં નવાઇ નથી.
વીસ સ્થાનકાદિ તપ શક્તિના અભાવે નહિ કરવાથી અતિચાર લાગે નહિ. આત્મજ્ઞાનપ્રાપ્ત ગુણાધિકની પ્રશ'સા ફરજીયાત હેાવાથી તે નહિ કરનારને અવશ્ય અતિચાર લાગે,
વૈયાવચ્ચ આદિ જેમ પદ્મસ્થાના કરવાના છે, તેમ સામાન્ય સાધુઓના પણ કરવાના છે. ભરત, માહુબલીજી અને વસુદેવજી વિગેરેનું પૂર્વભવનું વૈયાવચ્ચ-વિશ્રામણા-સેવા સાધુ માત્રના અંગે હતું. નાના, મેાટા, પદસ્થ, અપદસ્થ, કુટુંબી, અકુટુંબી વિગેરે ભેદ સિવાય વિનય-વૈયાવચ્ચ કરવા જોઇએ.
સાધુને માટે માંદાની માવજત જેમ ફરજીયાત છે, તેમ રત્નત્રય માટેની સહાય તથા પ્રવૃત્તિ પણ ફરજીયાત છે.
એક સાધુ અન્ય સાધુની સહાયની દરકાર ન કરે, પણ અન્ય સાધુએ તે સાધુને સહાય કરવા તત્પર રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org