________________
૩૦૨].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જ્યાં-ત્યાં ભટક્તી ચિત્તની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી, એને “ગ–બીજા શબ્દમાં “અધ્યાત્મ” કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ એવી હદ ઉપર આવવાના જે સાધનભૂત વ્યાપારે છે, તેને પણ યોગના બીજા શબ્દમાં અધ્યાત્મના કારણ હોવાથી ઉપચારથી . ચેગ યા અધ્યાત્મ કહેવાય છે.
સમ્યગ્રજ્ઞાન-આત્મજ્ઞાન થવાથી આત્મા જ પ્રિય લાગે છે અને તેનું જ્યાં સુધી જ્ઞાન થયું નથી, ત્યાં સુધી જડપિગલિક વસ્તુ પ્રિય લાગે છે.
મેહદષ્ટિના ત્યાગથી અને અંતરદૃષ્ટિના પ્રગટીકરણથી આત્માનું યથાર્થ સ્વરૂપ ભાસે છે.
શરીરથી આત્મા ભિન્ન છે-એમ વદવા છતાં, જ્યાં સુધી આત્માને દેહથી ભિન્નરૂપ જાણતો-અનુભવ નથી, ત્યાં સુધી મોક્ષ માટે નથી.
આત્માની જ્ઞાનાદિક અદ્ધિને જે તિરભાવ અનાદિકાળથી છે, તેને આવિર્ભાવ થ તે જ પરમાત્મપદ છે.
પરમાત્મા સાધ્ય છે, અંતરાત્મા સાધક છે અને બહિરાત્મભાવ ત્યાગ કરવા ગ્ય છે.
બહિરાત્મપણું ટળી અંતરાત્મપણું પ્રાપ્ત થયું તે ખરેખરું કઠણ છે. જે પ્રાણ શરીરથી આત્મા ભિન્ન માને છે અને એમ માનીને નિશ્ચયપૂર્વક પિતાને શરીરની ક્રિયાને સાક્ષીરૂપ માને છે, તેને અંતરાત્મા જાણ.
જ્યારે અંતરાત્મા થાય છે, ત્યારે જ શરીર ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org