________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૨૩૫
ભેદ પણ સંભવી શકે. આમ છતાં તે જીવ ‘ઈચ્છાયાગિ’ તે! હાય જ અને એથી જ શક્ય અનુષ્ઠાનાના આરાધક છતાં અશકયના વાંક પણ હોઇ શકે છે; છતાં વાસ્તવિક તા ‘શાસ્રયાગિ’ જીવ વચનાનુષ્ઠાનનું પૂર્ણ આરાધન કરે તે જ ‘ક્રિયા--અવચકતા' છે. જેટલા જેટલા અંશમાં ક્રિયા-અવંચકતા પ્રગટ થતી જાય, તેટલા તેટલા અશમાં જાગૃતિ દશા પ્રગટ થતી જાય છે.
એ જાગૃતિ દશા એટલે મિથ્યાદૃષ્ટિ જીવ જે વિષયકષાયજનિત સુખસામગ્રીમાં કે સુખમાં સુખની કલ્પના અને વૈરાગ્યનિત આત્મિક સુખમાં દુઃખની કલ્પનારૂપ સુષુપ્તિમાં નિદ્રિત હાય, તેનાથી પરાર્મુખ બની, વિષયકષાયજનિત સુખમાં દુઃખની માન્યતા અને આત્મિક સુખમાં જ માત્ર સુખની માન્યતારૂપ જે ‘અનિદ્રિત દશા” તે છે. વિષયકષાયજનિત સામગ્રીમાં માહિર સુખ અને આંતરિક દુઃખ, જ્યારે વૈરાગ્યજનિત આત્મિક સુખમાં મહિદુઃખ હોય પરંતુ આંતરિક તે। સુખ જ હોય.
અર્થાત્ મિથ્યાત્વ અંધ જીવાને માટે જે અન્તસ્ક્રુટ પ્રકાશરૂપ ઝગઝગતા દિન હોવા છતાં નિશારૂપ હાય અને એથી જ એ પ્રકાશના વિષયમાં એ અજ્ઞાની જીવાની અજ્ઞાનરૂપ ‘નિદ્રા દશા' હાય ત્યારે તેવી સ્થિતિમાં જ જીવાની પરિપૂર્ણ જાગૃતિ હોય તે ‘અનિદ્રિત દશા’ છે તથા મૂઢ અજ્ઞાની જીવાની વિષયકષાયનિત સામગ્રીમાં સુખની કલ્પનારૂપ જે જાગૃતિ હોય તે જ સ્થિતિમાં જેનું પરમ ઔદાસીન્ય હાય બલ્કે જેની ધૃણા કે સંસ્થા નિરપેક્ષતા હોય, તે ‘જાગૃતિ દશા' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org