________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૪૭ નંદન મણિયાર રાજગૃહી નગરીમાં નંદન મણિયાર નામને એક ધનાઢય ગૃહસ્થ રહેતું હતું. એક વખત ભગવાન શ્રી મહાવીરદેવ શહેર બહાર ઉદ્યાનમાં પધાર્યા હતા. ધર્મશ્રવણ અને વંદન કરવા નિમિત્તે ત્યાં શ્રેણિક રાજા તથા બીજા શ્રદ્ધાળુ લોકે ત્યાં આવ્યા. તે વખતમાં એક દદ્રાંક નામને દેવ સભામાં આવ્યું. તેણે વિવિધ પ્રકારે દેવકુમાર અને દેવકુમારીઓને પિતાની શક્તિથી પ્રગટ કરી, નૃત્યગાયન કરી, પિતાની દેવશક્તિ સર્વ સભાને બતાવી. આ શક્તિ બતાવવાનો હેતુ કાંઈ પિતાની શક્તિ કે ઋદ્ધિનું અભિમાન ન હતું પણ ધર્મના ફળમાં સંદેહ કરનારા જીવને દઢ કરવા નિમિત્તે અને જે પોતાના આત્મબળથી અનંત શક્તિઓ મેળવી શકે છે તે જણાવી ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા નિમિત્તે તથા જે મહાપુરુષના બધથી પિતે આ શક્તિને પામ્યું હતું તેની કોઈ પણ ભક્તિ કરવી– આ નિમિત્તે તેને પ્રયાસ હતો.
દશાંક દેવ આ પ્રમાણે ભગવાન શ્રી મહાવીરદેવની ભક્તિ, સ્તુતિ, વંદન, નમન કરીને તથા ભગવાનના શરીરે ઉત્તમ સુગંધી દ્રવ્ય-ચંદન આદિનું વિલેપન કરીને, તે દ્રવ્ય સભાને પિતાની શક્તિથી વિષ્ટા ને પરુ જેવા દેખાડી સ્વસ્થાનકે ગયો. ત્યારે જાણવા છતાં પણ સભાના લકને ધર્મમાં સ્થિર કરવા નિમિત્તે શ્રી ગૌતમસ્વામીએ ભગવાન શ્રી મહાવીરદેવને પૂછયું કે હે પ્રભુ! આ દેવે આટલી બધી દ્ધિ અને શક્તિ યા શુભ કર્તવ્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org