________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૨૯૩
શકતું નથી. પ્રથમ સાધનદશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે અને ભેદજ્ઞાનથી સ્વ-પરના ભેદ ભાસે છે અને તેથી આત્મા સવરભાવમાં રમે છે.
વિવેક તથા વૈરાગ્ય આદિ સાધનાથી તિક્ષ્ણ કરેલી અને સુખ-દુઃખાદિક સહન કરવામાં ધીરજવાળી બુદ્ધિથી આત્માના તત્ત્વના સારી પેઠે વિચાર કરનાર પુરૂષ નિજસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
પર્યાયષ્ટિ વિરક્તભાવ ઉત્પન્ન કરવાને ઉપયેાગી છે, જ્યારે દ્રવ્યષ્ટિ સ્વસ્વરૂપમાંસ્થિરતા કરવાને અદ્વિતીય કારણ છે.
અધ્યાત્મશાસ્ત્ર પાતે કાણું છે ?, તેનું સ્વરૂપ શું ?, તેના વિષય-કષાયાદિ સાથે સંબંધ કેવા છે ?, શા કારણથી છે?, કેટલા વખત સુધીના છે?, આત્માનું સાધ્ય શું છે?, તે કેમ અને ક્યારે પ્રાપ્ત થાય ?, વિગેરે વિષય ચર્ચે છે. અધ્યાત્મશાસ્ત્રના ઉદ્દેશ વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ છે, જેથી એની જિજ્ઞાસાવૃત્તિ સર્વ મુમુક્ષુઓને હાવી જોઈ એ,
જે પુસ્તકે -ગ્રંથા આપણને સૌથી વિશેષ ઉત્સાહ આપે, જે આત્માને ઉન્નત થવાને સૌથી વિશેષ નિશ્ચયવાળા મનાવે તથા જેમાં પારમાર્થિક ચિંતન અને આચરણમાં જોડવાને પ્રેરક હાય, તે જ ઉત્તમ ગ્રંથા છે.
જો તમારા જ્ઞાન અને ચારિત્ર્યના વિકાસ કરવા હાય તા જ્ઞાનવધ ક ગ્રંથા અને ઉત્તમ ચરિત્રો ધ્યાનપૂર્વક વંચા તથા તેમાંથી નીતિ અને આધ્યાત્મિકતાને વતનમાં ઉતારી જીવનમાં મેળવી લેતાં શીખા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org