________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૬૩ તપ, શુભ પરિણામ અને પ્રશસ્ત લેશ્યાશુદ્ધિથી વિશેષ કર્મોને ક્ષયે પશમ થઈ, અંબડને વૈકિયલબ્ધિ અને અવધિજ્ઞાનલબ્ધિ પ્રાપ્ત થઈ છે. આ લબ્ધિઓના બળથી અંબડ પોતાના સે રૂપ બનાવી સે ઘરમાં રહી ભેજન કરે છે અને લેકને આશ્ચર્ય દેખાડે છે.
શ્રી ગતમ-ભગવન! શું અંખડ પરિવ્રાજક નિર્ગથધર્મની દીક્ષા લઈ આપને શિષ્ય થવાને યોગ્ય છે?
ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબડ મારે શ્રમણશિષ્ય નહિ થાય. તે જીવાજીવાદિ તત્વજ્ઞ શ્રમણે પાસક છે અને શ્રમ
પાસક જ રહેશે. તે સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય તથા સ્થૂલ અદત્તાદાનને ત્યાગી, તેમજ સર્વથા બ્રહ્મચારી અને સતેષી છે. તે મુસાફરીના માર્ગમાં વચ્ચે આવવાવાળા પાણીથી અતિરિક્ત કુપ, નદી આદિ કોઈ પ્રકારના જલાશયમાં ઉતરતું નથી. તે ગાડી, રથ, પાલખી આદિ વાહન અથવા ઘેડા, હાથી, ઉંટ, બળદ, ભેંસ, ગધેડા આદિ વાહન ઉપર બેસીને યાત્રા કરતા નથી. તે નાટક, ખેલ, તમાસા દેખતે નથી. તે સ્ત્રીકથા, ભેજનકથા, દેશકથા, રાજકથા, ચારકથા તેમજ અન્ય અનર્થકારી વિકથાઓથી દૂર રહે છે.
તે લીલી વનસ્પતિનું છેદન-ભેદન અને સ્પર્શ શુદ્ધાં નથી કરતે. તે તુંબડું, કાષ્ઠપાત્ર અને માટીના પાત્રથી અન્ય અતિરિક્ત લોહ, ત્રપુ, તામ્ર, ચાંદી, સેના આદિ કઈ પ્રકારના ધાતુના પાત્ર નથી રાખતે. તે એક ગેરુઆ ચાદરથી અન્ય બીજું કઈ પણ રંગીન વસ્ત્ર રાખતા નથી. તે એક તામ્રમય અંગુલી (વીંટી) સિવાય અન્ય હાર, અર્ધ હાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org