________________
----
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૫૬ બચેલા વખતને ધર્મધ્યાનમાં ઉપયોગ લેવામાં આવે છે.
આજે મારે ઉપવાસ છે-એ ભાવનાને લઈ જાણી જોઈને હલકી પ્રવૃત્તિ કરતે જીવ અટકે છે, ઈત્યાદિ કારણે બાહ્ય ઉપવાસ ઉપગી છે. પરંતુ આ ઉપયોગીપણું જેની આંતરષ્ટિ ખૂલેલી હોય તેને જ વસ્તુતઃ કામ લાગે છે, જેને આત્માની પાસે રહેવાની પૂર્ણ ઈચ્છા છે તેને ઉપયોગી છે, પણ તે સિવાયનાને તે આ મળેલે વખત પણ સૂત્રાર્થ, પરિસિ, ધ્યાન આદિથી મુક્ત વિકથા-માદાદિમાં નિષ્ફળ જાય છે.
સમ્યગદષ્ટિવાળા છે આ ઉપવાસ કરી શકે છે. એકાદ દિવસને માટે પણ આવી પ્રવૃત્તિ કરવાથી ધીમે ધીમે તેના માર્ગમાં આગળ વધી શકાય છે.
આ બાહો ઉપવાસને નિષેધ કરવાને અહીં જરા પણ ઉદ્દેશ નથી. ઉદ્દેશ માત્ર સમ્યગ્રષ્ટિ તરફ દેરવવાને છે. સમ્યગદષ્ટિ સાથે આ બાહ્ય ઉપવાસ થયા વિના કેવળ અજ્ઞાનદશાથી દેહને ક્ષીણ કરી નખાય ત્યાં સુધી કરાતા ઉપવાસો એ યોગ્ય નથી તે કહેવાનું છે અને કેવળ આ ઉપવાસને આગ્રહ કરી આંતર્દષ્ટિને ભૂલી જવામાં આવે છે તેને જાગૃત કરવાને છે.
સમ્યક, જ્ઞાન, સંવેગ વિગેરે ક્ષાયોપથમિક ગુણો જ્યાં અનુભવાય છે, ત્યાં આત્મશાન્તિ પણ અનુભવાય છે. એ પ્રમાણે સમ્યક તપશ્ચર્યા સેવનારને શાંતિને અનુભવ થાય છે, માટે તપ એ પણ ક્ષાપથમિક ભાવરૂપ છે. નંદન મણિયાર ત્રણ ઉપવાસ કરીને બેઠે હતો, પણ મિથ્યાષ્ટિ હવાથી આ ઉપવાસનું રહસ્ય તેના જાણવામાં ન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org