________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૨૭ ધકની જ દશાવિશેષ છે.) મિથ્યાત્વની મંદતાના પ્રતાપે અસગ્રહને ત્યાગ થવાથી, આચરાતા અનુષ્ઠાને ભાવાજ્ઞાના કારણરૂપ બનતા હોવાથી તથા નિર્મળ બેધના અભાવમાં વિશિષ્ટ ઉપગ નહિ હોવાના કારણે દ્રવ્યરૂપ કહેવાતા છતાં અનુમોદનીય છે તથા ક્રમશઃ વિકાસક પણ છે. ભાવાજ્ઞા એટલે સમ્યગ જ્ઞાનપૂર્વક ભગવત્કથિત અનુષ્ઠાના આચરણની શુદ્ધ પરિણતિ. એ પરિણતિપૂર્વક રત્નત્રયીનું વિશુદ્ધ પાલન એ ભાવાજ્ઞાનું પાલન છે. એ પાલન યથાશક્ય હોઈ શકે, કારણ કે-અયથાબલ યા તે શક્તિના અતિરેકથી ક્રિયમાણ આરંભ હાનિકર બને છે; છતાં શક્તિનું પ્રમાદથી ગોપન પણ ન લેવું જોઈએ. એટલે આ રીતિએ શુદ્ધ પરિણતિથી ભાવાજ્ઞાની સન્મુખતાએ પણ જે અનુષ્ઠાનેનું સેવન કરાય, તે વિશુદ્ધ ઉપગ નહિ હોવાના કારણે દ્રવ્યાનુષ્ઠાનરૂપ ગણાવા છતાં અવશ્ય અનુદનીય છે. યદ્યપિ સર્વવિરતિને દ્રવ્યાનુષ્ઠાનની અનુમોદના કેમ હોય?–આ પ્રશ્ન થઈ શકે છે. કારણ કે-સાધુનો અધિકાર માત્ર ભાવસ્તવમાં જ પર્યાપ્ત થએલો હોય છે. તેનું સમાધાન એ છે કે-સાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવકરણમાં પ્રવૃત્તિ કરવાનું નિષેધવામાં આવ્યું છે, પરંતુ એના કરાવણ અને અનુમોદવામાં નિષેધ કરવામાં આવ્યો નથી. જે યોગ્ય પ્રજ્ઞાપ્ય હોય તેને જે વિષયને નિષેધ કરવામાં ન આવ્યો હોય, તે વિષયનું સાધુને પણ અનુમોદન હોઈ શકે છે, પરંતુ જે અગ્ય હોય તેને ભાવિના લાભાલાભની દષ્ટિએ અગર જો નિષેધવામાં ન આવ્યું હોય તો તે અનુમોદનીય બની શકતું નથી. આથી તેવા અધિકારી જીવનું પણ તથાવિધ દ્રવ્યાનુષ્ઠાન પણ અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org