________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૦૫ બને છે અને તેથી મને આહાર ઉપર રુચિ થઈ નહિ. અહીં શેઠની સ્ત્રીએ કઈ પણ જાતિના ચેરીના અધ્યવસાય વિના છાણ જેવી કિંમતરહિત દ્રવ્યથી બનાવેલી રાઈ
જ્યારે અશુદ્ધ નિવડી, ત્યારે જે અનીતિમાં જ જીવન પસાર કરી રહ્યા છે તેઓના માટે તે પૂછવું જ શું?
આ પ્રમાણે નીતિ-અનીતિનું દ્રવ્ય બુદ્ધિમાં પરિવર્તન કરે છે. જે અનીતિનું દ્રવ્ય હંમેશાં પિતાના પેટમાં નાંખે છે, તેમને ખબર નથી પડતી કે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
હવે ન્યાયસંપન્નવિભવ કેને કહેવાય? તે ટૂંકામાં પણ જુદી જુદી રીતે વિગતથી વિચારી જોઈએ, કે જેથી ખ્યાલમાં રહે કે-શું કરવાથી ન્યાય અને અન્યાય ગણાય?
સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, અન્યાયથી ચાલવું નહિ. એક ભાવ કહી બીજે ભાવ કહે, ઉચિત રીતે નફો નહીં લેતાં રૂપીએ ત્રણ-ચાર આના કે તેથી વધુ નફે લે, સટ્ટાને વેપાર કરે, નેકર યા મજુરને મહેનતાણા પ્રમાણે પગાર-પૂરી મજુરી નહિ આપતાં તેની ગરજ જોઈ એછું આપવું એ સર્વ અન્યાય તરીકે ગણાય છે. નોકરી કરતાં ધણીના સેપેલા કાર્યમાંથી પૈસા ખાવા નહિ, લાંચ ખાવી નહિ, એછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરવો નહિ, વ્યાજવટંતર કરનારે સામા ધણીને છેતરીને વ્યાજના પૈસા વધારે લેવા નહિ, માલ સેળભેળ કરીને વેચ નહિ, સરકારી નોકરી કરનાર મનુષ્ય વહાલા થવા માટે લેકે ઉપર કાયદાવિરુદ્ધ જુલ્મ ગુજારે નહિ, મજુરી યા કારીગરીને ધંધો કરતાં રાજ લઈ કામ બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org