________________
૧૨૨ ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા બાહિર દષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે;
અંતર દષ્ટિ દેખતાં, અક્ષયપદ પાવે.” ૨૧. કર્મવિપાક ચિન્તન-સર્વ જગત્ કર્મવશ છે, એમ જાણુ મુનિ સુખથી હર્ષ પામતાં નથી તેમજ દુઃખથી ભય પામતાં નથી. પ્રશમશ્રેણિ પર આરૂઢ થયેલા શ્રુતકેવલી પણ અશુભ કર્મના ઉદયથી બહલસંસારી થાય છે, તે બીજાની શી વાત? ઉદયમાં આવેલા સર્વ કર્મો ક્ષય થવાના છે એમ સમજી તુલ્યદષ્ટિ ધારણ કરે છે, તે જ ગિ સહજાનંદરૂપ પ્રાપ્ત કરે છે. કર્મવિપાક છેલ્લા પુદ્ગલપરાવત્તની હદમાં પહોંચ્યા વિનાના જીવને આરક્ષણ કરવા છતાં, એટલે છેલ્લાથી અન્ય પુદ્ગલપરાવર્નમાં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદ્ગલપરાવર્તવાળા સાધુનું તે પ્રમાદાદરૂપ છિદ્રો જેને ધર્મને અતિ મલિન કરે છે, જેથી પ્રમાદાદિને અવકાશ આપવા ન દે. જે પ્રમાદ વિગેરેથી શતકેવલી જેવા મહાપુરુષ પણ અનંતસંસારી થાય છે.
૨૨. ભવઉદ્વેગ-આ સંસારને પાર પામવા માટે, મુનિ મરણની બીકે રાજાના ભયથી તેલનું વાસણ ગ્રહણ કરનાર અને રાધાવેધને સાધવા વિષે જેમ ઉદ્યમવંત થવાય છે, તેમ મુનિ ધર્મક્રિયાને વિષે એકાગ્ર હોય છે. જેમ ઝેરનું ઓસડ ઝેર છે, તેમ ભયનું ઓસડ ભય છે. ઉપસર્ગાદિ ભય
જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે સંસારથી હીતા એવા સાધુ તે ઉપસર્ગ સમ્યક પ્રકારે સહન કરે છે અને નિર્ભય રહે છે.
વ્યવહારમાં સ્થિત સાધુ આ સંસારની ભીતિ ધ્યાવે, પરંતુ નિજભાવમાં રમણ કરનારને ભાવભયને અવકાશ રહેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org