________________
૧૩૬ ]
શ્રી જી. અ. જૈત ગ્રન્થમાળા
આ પટ્ટાથી થતા પ્રયાગ જ્યાં સુધી કાયમ રહેશે, ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે ચેાજેલા પદાથથી અવ્યક્તપણે પણ થતી લાગતી ક્રિયાથી મુક્ત થવું ડાયા માહભાવને મૂકવા. મેાહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે ચાળેલા પદાર્થીના જ ભવને વિષે આઢવામાં આવે, તે તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમેાહનીયના કારણથી આવે છે. તે મેાહભાવના ક્ષય થવાથી આવતી અંધ થાય છે.
ક્રિયા એ પ્રકારે થાય છે. એક વ્યક્ત એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે, અવ્યક્તપણે થતી ક્રિયા જો કે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી તે થતી નથી એમ નથી.
પાણીને વિષે લહેર અથવા હિલ્લેાળ તે વ્યક્તપણે જણાય છે, પર ંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાંખી હાય અને પાણી શાંતપણામાં હાય, તેા પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જો કે ઢેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને શ્રદ્ધવામાં ન આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે, તે એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ અને બીજો ઉંધી ગયેલા માણસ જે કાંઈ ક્રિયા વ્યક્તપણે કરતા નથી તે ભાવ સમાનપણાને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org