________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
[ ૧૬૯
જન્માવડે પણ અત્યંત દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ જીવા શરીર અને આત્માની અભેદ વાસનાથી વાસિત જ ડાય છે. ભેદજ્ઞાની કાઈક જ હાય છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે
66
सदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगबंधकहा | एगन्तसुलभ वरि ण सुलभो विभत्तस्स || "
‘સર્વ જીવાને પણ કામભેાગાદિ અન્ધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે તેથી સુલભ છે, પરંતુ વિભક્ત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી.’ સમ્યગ્દર્શને આવું ભેદજ્ઞાન હાય છે. તેના સંસાર તરફના તીવ્ર આસક્તિભાવ આછે. થઈ ગયેલા હાય છે, તે પૂર્વના અશુભ કર્માંના ઉયથી કદાચ પાપક્રિયામાં પ્રવર્તે તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. તેના ગુણાના સ્વરૂપભેદને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અન’તગુણહીનવિશુદ્ધિ હાય છે.
પાંચમું દેશવત ગુણુસ્થાન-જે સમ્યગષ્ટિ આત્મા સવિરતિની ઈચ્છા છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉયથી હિ'સાદિ પાપવાળી ક્રિયાઓના સથા ત્યાગ કરી શકતા નથી, પરંતુ દેશથી-અંશતઃ ત્યાગ કરી શકે છે, તે ‘દેવિતિ' કહેવાય છે. તેમાં કેાઈ એક વ્રતવિષયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org