________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૬૭ ચતુર્થ અવિરતિ-સમ્યગ્દષ્ટિ અને પંચમ
દેશવિરતિ ગુણસ્થાન [ અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનમાં કેવા ઉચ્ચ ગુણોને સમાવેશ થાય છે, તે બહુ ટૂંકામાં જણાવવાને આ લેખને હેતુ છે. તે ગુણે હોય તો જ ચોથું અને પાંચમું ગુણસ્થાન કહી શકાય છે. જે પૂર્વ પૂર્વના ગુણસ્થાનમાં ગુણે હેય, તે ઉત્તરઉત્તર ગુણસ્થાનમાં હોય જ એમ દરેક સ્થાને સમજી લેવું.]
ચેથું અવિરતિસમ્યગદષ્ટિ ગુણસ્થાન–સંપૂર્ણ પણે પાપવ્યાપારથી જેઓ વિરમ્યા હોય તે વિરત કે વિરતિ કહેવાય છે અને જેઓ પાપવ્યાપારથી બીકુલ વિરમ્યા નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે. પાપવ્યાપારથી સર્વથા નહિ વિરમેલા સમ્યગદૃષ્ટિ આત્માઓ “અવિરતિ સમ્યગૃષ્ટિ' કહેવાય છે. આ સમ્યગદષ્ટિ આત્માઓ અવિરતિ નિમિત્ત થતાં દુરંત નરકાદિ દુઃખ જેનું ફળ છે, એવા કર્મબંધને જાણતાં છતાં અને પરમ મુનીશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણું સમાન વિરતિ છે એમ પણ જાણતાં છતાં, વિરતિનો સ્વીકાર કરી શક્તા નથી તેમ પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી; કારણ કેતેઓ અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી દબાએલા હોય છે. તે કષાયો અ૫ પણ પચ્ચખાણને રોકે છે (છતાં અહીં યમ-નિયમના સ્વીકારને બાધ નથી, કારણ કેઅવિરતિસમ્યગદૃષ્ટિ આત્માને પૂ. ઉપાધ્યાયજીકૃત આઠ દષ્ટિની સજઝાયમાં તેમજ ગષ્ટિસમુચ્ચયમાં તેને સ્વીકાર માનેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org