________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૧૩
નથી. કાઈ ને કાઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યગદનના આવિર્ભાવ થતાં જ સભ્યજ્ઞાન કહેવાય છે. સમ્યગજ્ઞાન અને અસમ્યગજ્ઞાનના તફાવત એ છે કે-પહેલું સમ્યક્ત્વ સહચિરત છે, જ્યારે બીજું સમ્યક્ત્વરહિત મિથ્યાત્વ સહરિત છે.
પ્ર.-સમ્યક્ત્વના એવા શું પ્રભાવ છે કે તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હાય તેા પણ તે અસમ્યગજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે ? અને થાડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તે પશુ સમ્યક્ત્વ પ્રગટ થયે છતે સમ્યગજ્ઞાન કહેવાય છે ?
ઉ.–આ ( તત્ત્વાર્થસૂત્ર) અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યાન કે અસભ્યજ્ઞાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પરંતુ ન્યાય યા શાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતા નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનના વિષય યથાર્થ હાય તે જ સમ્યજ્ઞાન-પ્રમાણુ અને જેને વિષય અયથા હોય તે જ અસમ્યગજ્ઞાન-પ્રમાણાભાસ કહેવાય છે : કિન્તુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સમ્મત સભ્ય-અસમ્યગજ્ઞાનના વિભાગ માન્ય હાવા છતાં પણ ગૌણ છે. અહીંઆ જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યગજ્ઞાન એ દૃષ્ટિ મુખ્ય છે અને જેનાથી સંસાર વૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યજ્ઞાન છે.
આ રીતે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકચારિત્ર –એ ત્રણેય માક્ષના સાધન છે. એ સાધનાની જેટલે જેટલે અંશે પ્રાપ્તિ, તેટલે તેટલે અ'શે આત્માના ઉચ્ચ વિકાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org