________________
૧૧૪ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા
અધ્યાત્મ વચન અધ્યાત્મની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે-આરમાનામપિઝા વારા વારિમા ” આત્માને ઉદ્દેશીને જે પાંચેય (જ્ઞાનાચારાદિ આચારની સાધના કરવી તેનું નામ “અધ્યાત્મ કહેવાય છે.
આ અધ્યાત્મશાસ્ત્રનો ઉપદેશ અમૃત સમાન કહ્યો છે, તેથી પ્રગટ આત્મામાં પરમ શાંતિ અનુભવાય છે અને અનુક્રમે મોક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે. અધ્યાત્મમાર્ગ બતાવે તે “અધ્યાત્મવચન છે. જે વચન એકાંત આત્મહિતને જ અર્થે પ્રવર્તે છે, જે વચન રાગ-દ્વેષાદિક વિકારવર્જિત શ્રી વિતરાગદેવની અમૃતમય વાણીને અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે ક્રિયાને એકાંત પક્ષ ખેંચતા નથી, જે વચનથી જ્ઞાન અને ક્રિયાને સાથે જ પુષ્ટિ મળે છે અને જે વચનવડે શુદ્ધ સમજપૂર્વક શુદ્ધ ક્રિયા સેવવા જ પ્રવર્તાય છે, તેનું નામ “અધ્યાત્મવચન કહી શકાય છે. જેમ પંખી બે પાંખવડે જ ઊડી શકે છે અને રથ બે ચક્રવડે જ ચાલી શકે છે, તેમ “અધ્યાત્મ” પણ શુદ્ધ જ્ઞાનક્રિયાના સંમેલનથી જ પ્રવર્તે છે. તે વિના અધ્યાત્મ કહી શકાય જ નહિ. વસ્તુતત્વની સમજ મેળવી, હિતાહિતને યથાર્થ વિવેક કરી, જે સ્વહિતસાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે, તે જ અંતે સ્વ-ઈષ્ટસિદ્ધ કરી શકે છે. તે વિના એકાંત જ્ઞાન કે Wિાના પક્ષમાં પડી સ્વ–પરને ભારે નુકશાનીમાં ઉતારવાનું બને છે. અધ્યાત્મમાર્ગ આત્મકલ્યાણને અમેઘ ઉપાય છે, જેથી તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org