________________
ડારમાર્થિક લેખસ’ગ્રહ
૧ ૪૩
નયઘટના કરી અતાવી છે. તેને અનુસરી એક વિદ્વાન્ સદ્ગૃહસ્થ તરફથી નોંધ જાણવા મળેલ, તેમાં યથામતિ પ્રાસ’ગિક અને બીજું છૂટક ઉમેરી સદર લેખ તૈયાર કરવામાં આવ્યે છે. આ લેખમાં વિરાધને લેશ પણ સ્થાન હાય તેમ માનતા નથી, કિન્તુ આત્મા-પરમાર્થ સમજવાને પ્રેરકરૂપ એક રસપ્રદ વસ્તુ છે તેમ વિચારક ગવેષકેને જણાઈ આવશે.
આત્મવિચાર કર્ત્તવ્યરૂપ ધર્મ
દુ:ખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ :ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કાઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી–એમ સર્વ જ્ઞાનીપુરૂષાએ ભાખ્યું છે; માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયેાજનરૂપ છે, તેના સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરૂવચનના શ્રવણનું કે સત્શાસ્ત્રનું વચારવું એ છે. જે કાઈ દુઃખની નિવૃત્તિ ઈચ્છતા હાય તેણે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજે કાઈ ઉપાય નથી; માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરાના,કુળધર્મના, લેાકસંજ્ઞારૂપ ધર્મના અને એધસંજ્ઞારૂપ ધર્મના ઉદાસભાવ ભજી એક આવિચાર કર્તવ્યરૂપ મેં ભજવા યાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org