________________
[ ૮૭
પા૨આર્થિક લેખસંગ્રહ સમ્યક ઉપાય યથાર્થ જ્ઞાનપૂર્વક સમપરિણતિમાં સ્થિર થઈ નિસત્વ કરવામાં આવે, એને જ સાચી નિર્જરા ભગવાને કહી છે. તે સિવાયની બંધસહભાવિની નિર્જરા તે જગત આખું કરી જ રહ્યું છે.
ગેળીને વાંસ જ્યારે એક તરફથી છૂટે ત્યારે બીજી તરફથી બંધાય છે. તેનું છૂટવું તે પણ બંધાવા માટે જ વતે છે; પણ જે તે વાંસને રસીથી સર્વથા છોડવામાં આવે તો ફરી બંધાતે નથી, તેમ મહાસક્ત જીવ એક તરફથી પ્રબળ ચમ-નિયમાદિ આચરી છૂટવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે વ્યક્ત કે અવ્યક્ત રાગદ્વેષાદિ પરિણામે કરી બીજી તરફથી બંધાતા જાય છે. બંધનની નિવૃત્તિના એક નિમિત્ત કારણરૂપ એવા યમ-નિયમાદિપૂર્વક પ્રવર્તનકાળે પણ રાગદ્વેષની માત્રા જીવને ક્યા પ્રકારે ઉન્માદે ચઢાવી રહી છે તેનું એને ભાન નથી. એ રાગદ્વેષ તજવાના બહાને જીવ કરે છે શું? એક ખૂણેથી નીકળી માત્ર બીજા ખૂણામાં ભરાય છે. બીજે પણ પહેલાના જે જ હોય છે. અનાદિકાળથી જીવ સમ્યક પ્રકારે નિરાવલંબ ઉદાસીન રહી શકે નથી કે ઉદાસીન રહેવા તથારૂપ પ્રકારે તેણે પ્રયત્ન કર્યો નથી, એવી સ્થિતિને પ્રાપ્ત થવા યોગ્ય સમ્યક સાધને સેવ્યા નથી, લોકેષણા, લેકહેરીને લોકસં. જ્ઞામાં છુંદાઈ રહ્યો છે અને તેથી ઉદાસીનતા જન્ય સુખને અનુભવ પણ તેને નથી. એ સુખને અનુભવ કે વાસ્તવ્ય શ્રદ્ધા વિના તેને તથા રૂપપણે પ્રયત્ન પણ ક્યાંથી હોય? એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે-મૂઢ અને અજ્ઞાની જીવને ગ્રહણ અને ત્યાગ અને બંધનરૂપણે પ્રવર્તે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org