________________
પારમાર્થિક લેખસંગ્રહ
( ૧૦૯
મોક્ષના સાધન “
જ્ઞાનજ્ઞાનવારિવાળિ મોક્ષપા.” સમ્યગદર્શન સમ્યગ્રજ્ઞાન અને સમ્યારિત્ર-એ ત્રણેયથી મેક્ષનું સાધન થાય છે.
મોક્ષનું સ્વરૂપ-બંધના કારણેને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય તે મોક્ષ છે અર્થાત્ જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ટા એ જ મેક્ષ છે.
સાધનનું સ્વરૂપ-જે ગુણ એટલે શક્તિના વિકાસથી તત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય અને જેનાથી હેય-છેડી દેવા ગ્ય અને ઉપાદેય-સ્વીકારવા એગ્ય તત્વના યથાર્થ વિવેકની અભિરુચિ થાય, તે “સમ્યગદર્શન.” નય અને પ્રમાણથી થનારું જીવાદિ તનું યથાર્થ જ્ઞાન તે
સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે રાગ-દ્વેષની અને યોગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણ થાય છે, એ જ “સમ્યફચારિત્ર.”
સાધનનું સાહચાર્ય–ઉપર જણાવેલા ત્રણેય સાધન જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ માક્ષને સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે ત્યાં સુધી પરિપૂર્ણ મેક્ષ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે–સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થયા છે, છતાં સમારિત્રની અપૂર્ણતાને લીધે તેરમાં ગુણસ્થાનકમાં પૂર્ણ મેક્ષ અર્થાત્ અશરીર, સિદ્ધિ અથવા વિદેહમુક્તિ થતી નથી અને ચૌદમાં ગુણસ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org