________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૯૩
સાચો આનંદ
ખાવાના માટે દુનિયામાં જીવવાનું નથી, પણ આનંદ માટે જીવવાનું છે. આનંદમય જીવન ગાળવા માટે શ્વાસશ્વાસ લેવાની જરૂર પડે છે. શેક અને ચિંતાના શ્વાસોશ્વાસથી મૃત્યુ થાય છે, ઉદાસીનતાથી દુઃખ થાય છે અને દુઃખ એ આત્માના સ્વભાવથી વિરૂદ્ધ હોવાથી મૃત્યુ સમાન છે. આનંદ એ જ આત્માનું લક્ષણ છે. જ્યારે આનંદથી શ્વાસશ્વાસ ચાલે છે, ત્યારે આત્મા પિતાના ધર્મને ધારણ કરે છે એમ અવધવું. શાતાદનીયજન્ય આનંદથી ભિન્ન એ વાસ્તવિક આનંદ એ જ વસ્તુતઃ આનંદ છે અને તે આનંદરૂપ આત્મા છે. જ્યાં વાસ્તવિક આનંદની હેર વહે છે, ત્યાં આત્મા જાગૃત દશામાં છે એમ જાણવું. આત્માના સ્વાભાવિક આનંદના ભેગથી આત્મા પોતાનું સ્વરૂપ જાણું શકે છે અને તેથી તે અન્ય પદાર્થોથી નિવૃત્ત થઈને શુદ્ધાનંદ સ્વરૂપમાં અખંડ ઉપયોગથી રમ્યા કરે છે. આનંદનું જીવન અનધિ છે. આનંદનું જીવન એ પિતાનું જીવન છે અને શાતાદનીયજન્ય સુખ, દુઃખ, શેક વિગેરેનું જીવન તે પિતાનું વાસ્તવિક વિશુદ્ધ જીવન નથી પણ પ્રતિકૂળ જીવન છે. શુદ્ધ જ્ઞાનની સાથે વાસ્તવિક આનંદને અનુભવ આવે છે અને તેથી આનંદની ઘેન મુખના ચહેરા પર પણ આનંદના ચિહ્નો પ્રગટાવી શકે છે. જ્ઞાનગર્ભિત વૈરાગીનું જીવન આનંદની ઝાંખીવાળું હોય છે. તેના હૃદયમાં સરલતા, સ્વચ્છતા, નિર્ભયતા, સુજનતા અને શુદ્ધ પ્રેમના ઝરણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org