________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
ક્રિયાનય–આ નય કહે છે કે-ગ્રાહ્ય, અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં પુરુષાની સિદ્ધિ ઇચ્છનારાએ પ્રવ્રુત્યાદિ રૂપ ક્રિયા કરવી જોઈએ. મતલમ કે-પદાર્થ જાણ્યા છતાં પણ ક્રિયા જ સાધ્ય-સાધક છે. જ્ઞાન તા ક્રિયાનું ઉપકરણ હાવાથી ગૌણ છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં પણુ, ભગવંત શ્રી અરિહંતદેવને જ્યાં સુધી સ`ક રૂપ ઈન્ધનને બાળી નાંખવાને અગ્નિની જ્વાળાના સમૂહ સમાન શૈલેશી અવસ્થારૂપ ક્રિયા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી. “ જે જેની પછી તરત જ થનારું હાય તે તેનું કારણુ છે. ” જેમ અન્ય અવસ્થા પામેલ પૃથ્વી આદિ સામગ્રી પછી તરત જ થનાર અંકુર તેનું કારણ છે, તેમ સર્વ પુરૂષાર્થ સિદ્ધિ પણ ક્રિયાની અનંતર જ થાય છે; માટે ક્રિયા જ સ પુરુષાÖસિદ્ધિનું પ્રધાન કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી દેશવરતિ અને સવિરતિને જ માને છે, કેમકે-ક્રિયારૂપે તે મુક્તિનું પ્રધાન કારણ છે. સમ્યક્ત્વ અને શ્રુત સામાયિક તે તેના ઉપકારી માત્ર હાવાથી ગૌણભૂત હાવાને લીધે નથી માનતા.
૧૦૬ ]
શિષ્ય-ભગવન્ ! આ અન્ને પક્ષમાં યુક્તિ જણાય છે, તેા પછી એમાંથી સત્ય તત્ત્વ કર્યું ?
ગુરુ-સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી ધાએ નયાની પરસ્પર વિરુદ્ધ વક્તવ્યતા સાંભળીને સર્વ નયાને સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય તે મુક્તિનું સાધન છે, અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા અને જ્ઞાનાદિ ગુણુ એ ઉભય (જ્ઞાન–ક્રિયા) વડે જે સાધ્ય હોય તે મેાક્ષસાધક છે, પણ એમાંથી એકલે કોઈ પક્ષ માક્ષસાધક નથી. જ્ઞાનનયવાદી કહે છે કે- જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org