________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૦૫
જ્ઞાનનય અને ક્રિયાનયની વક્તવ્યતા
જ્ઞાનનય-આ નય કહે છે કે-સમ્યગ્દર્શનચારિત્રાદિ ગ્રાહ્ય છે, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વિગેરે અગ્રાહ્ય છે અને સ્વવિભૂતિ વિગેરે ઉપેક્ષા કરવા ચેાગ્ય છે. ઉપરાક્ત ગ્રાહ્ય, અગ્રાહ્ય અને ઉપેક્ષા કરવા ચેાગ્ય પદાર્થ જાણ્યા છતાં, તેના પ્રાપ્તિ, પરિહાર અને ઉપેક્ષા કરવાની ઇચ્છાવાળાએ તેમાં પ્રવૃત્તિરૂપ યત્ન કરવા જોઈએ. એ પ્રમાણે સ વ્યવહારનું કારણ જ્ઞાન છે. ઐહિક કે પારલૌકિક ફળના અર્થીએ સારી રીતે જાણેલા અમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ; અન્યથા પ્રવૃત્તિ કરવામાં ફળના વિસંવાદ જણાય છે. પાપથી નિવૃત્તિ, કુશળપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ-એ ત્રણેય જ્ઞાન આપે છે તથા દીક્ષા પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રવાળા સાધુ છતાં પણ તેઓને જ્યાં સુધી સમસ્ત જીવાદિ વસ્તુસમૂહને સાક્ષાત્કાર કરાવનારું કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થતું, ત્યાં સુધી તેમને મેાક્ષપ્રાપ્તિ નથી થતી. “ જે જેના વિના ન અને તે તેનું કારણ છે. ” અર્થાત્ ક્રિયા જ્ઞાન વિના ન હાય તેથી ક્રિયા એ જ્ઞાનનું કારણ છે. જેમ બીજાદિ વિના અંકુર નથી થતાં તેથી તે તેનું કારણ છે, તેમ સકલ પુરુષાર્થની સિદ્ધિ પણ જ્ઞાન વિના થતી નથી માટે તે તેનું મુખ્ય કારણ છે. આ નય. ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક–એ એને જ માને છે, કેમકે-તે બન્ને જ્ઞાનાત્મક હાવાથી તે જ મુખ્યત્વે કરીને મેાક્ષના કારણ છે. દેશિવરતિ અને સવિરતિ સામાયિક આ નય નથી માનતા, કેમકે-તે જ્ઞાનનું કાર્ય હાવાથી ગૌણભૂત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org