________________
પારસાશિક લેખસ ગ્રહ
૧ ૫૯
‘વિવિક્ત શય્યા’ કહેવામાં આવે છે. પૂર્વકાળના મહાપુરુષા એવા જ સ્થળને પસંદ કરી ત્યાં જ જ્ઞાન-ધ્યાનમાં પેાતાના સમય પસાર કરતા. વર્તમાનમાં મેટા ભાગની સ્થિતિ ગૃહસ્થાના ગાઢ પરિચયવાળી ઉપાધિ સદ્દેશ હાઈ પ્રભૂત સુધારની વિચારણા માગી લે છે. સંયમવંત સાધુજનાએ પ્રથમ આત્મસંયમની રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે ઉક્ત દોષ વગરનીનિર્દોષ અને નિરુપાધિક એકાન્ત વસતિ–નિવાસસ્થાન પસંદ કરવા ચેાગ્ય છે. એથી સ્થિર-શાન્ત ચિત્તથી જ્ઞાન, ધ્યાન વિગેરે સ’ચમકરણીમાં ઘણી અનુકૂળતા થાય છે. તે કરતાં અન્યથા વવાથી, તથાપ્રકારના ઉપાધિ ઢોષવાળા સ્થાનમાં વસવાથી મન-વચનાદિક ચેાગની સ્ખલના થઈ આવે છે. એટલે કે ગૃહસ્થલેાકેાના ગાઢ પરિચયથી તેમની સાથે નકામી અનેક પ્રકારની વાતચીતમાં ભાગ લેવાથી આત્મહિત નહિ થતાં સાધુજનોને સંયમમાની રક્ષા થતી નથી. સચમમાની રક્ષા અને પુષ્ટિ કરવાની પ્રબળ ઈચ્છાના ચેાગે વિક્તિ-એકાન્ત સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે.
આ મધી સાધદશાની વાત થઇ. ખાકી જેમણે મન, વચન અને કાયાનું સમ્યગ્ નિય་ત્રણ કરી દીધું છે અને જેમને સ્વરૂપરમણતા જ થઈ રહી છે એવા સ્થિરયાગિ અધિકારીની વાત જુદી છે. તેમને તેા વન અને ઘર સત્ર સમભાવજ પ્રવર્તે છે. કહ્યું છે કે
“ સ્થિરતા વાગમન: જાનૈ-ચૈામકાશિતાં થતા | योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥ "
(જ્ઞાનસાર અષ્ટક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org