________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૫૦
શ્રી આદ્રકુમાર
૨૭.
સમુદ્રના મધ્યમાં આટૂંક નામે દેશ છે. તેનું આર્ટુક મુખ્ય નગર છે. ત્યાં આટૂંક નામે રાજા હતો.તેની આટૂંક રાણીથી આર્દ્રકુમાર નામે પુત્ર થયો. તે યૌવન વયને પ્રાપ્ત થતાં યથા રૂચિ સંસારીક ભોગ ભોગવવા લાગ્યો.
આર્ટક રાજાને અને શ્રેણિક રાજાને પરંપરાથી પ્રીતિ બંધાયેલી હતી. એક વખત શ્રેણિક રાજાએ પોતાના મંત્રીને આટૂંકરાજાની પાસે ઘણી ભેટો લઈને મોકલ્યો. તે ભેટો સ્વીકારી આટૂંક રાજાએ બંધુ શ્રેણિકની કુશળતા પૂછી. આ જોઈ આર્ટુકુમારે પૂછ્યું, હે પિતાજી, આ મગધેશ્વર કોણ છે કે જેની સાથે તમારે આટલી બધી પ્રીતિ છે? ત્યારે રાજાએ કહ્યું કે, શ્રેણિક નામે મગધના રાજા છે અને તેમને અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે. આ સાંભળી આર્દ્રકુમારે આવેલ મંત્રીશ્વરને પૂછ્યું કે, આ મગધશ્વરને કોઈ ગુણવાન પુત્ર છે? હોય તો તેને હું મારો મિત્ર કરવા ઇચ્છું છું. ત્યારે મંત્રીશ્વરે જવાબ આપ્યો કે, હા. બુદ્ધિનું ધામ એવા અભયકુમાર તેમના પુત્ર છે.
આ સાંભળી વિદાય થતા મંત્રીશ્વરને આર્દ્રકુમારે પરવાળા અને મુક્તાફળ વગેરે અભયકુમાર માટે મૈત્રીના પ્રતીક તરીકે આપ્યાં.
આ આકુમારના મૈત્રીભર્યા વર્તાવથી ખુશ થઈ અભયકુમારે વિચાર્યું કે, કોઈ શ્રમણપણાની વિરાધના કરવાથી એક અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. તેને મિત્ર તરીકે મારે ધર્મો બનાવવો જોઈએ - એમ ચિંતવી પ્રભુ આદિનાથની એક અહંત પ્રતિમા એક પેટીમાં મૂકી એક દૂત દ્વારા આર્દ્રકુમારને મોકલી આપી અને સંદેશો મોકલ્યો કે, આ પેટી આર્દ્રકુમારે એકાંતે ખોલવી. - પેટી ખોલતાં આકુમારને અપ્રતિમ શ્રી આદિનાથની મનોહર પ્રતિમા નજરે પડી. થોડો વખત તો, આ શું છે? તે તેમને સમજાયું નહીં પણ વિચાર કરતાં કરતાં આવું મેં પૂર્વે ક્યાંક જોયું છે - એમ ચિંતન કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમાં પોતે જોયું કે આ ભવથી ત્રીજે ભવે તે મગધ દેશના વસંતપુર નગરમાં એક સામાપિકનામે કરવી હતો અને હવે કર્માધીન હું અહીં ધર્મવતિ એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું. મને પ્રતિબોધ પમાડનાર અભયકુમાર ખરેખર મારો બંધુ અને ગુરુ છે. તેથી હવે પિતાની આજ્ઞા લઈ હું આર્યદેશમાં જઈશ કે જયાં મારા આ મિત્ર અને ગુરુ છે. પણ પિતાજીએ આર્દ્રકુમારને