________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૧૨
તેને તેવો નવીન વેખધારી જોઈને સર્વ લોક ધર્મ પૂછતા હતા, પરંતુ મરીચિ તો શ્રીજિનેશ્વરે પ્રરૂપેલો સાધુધર્મ જ કહેતો હતો. સર્વની પાસે જ્યારે તે એવી શુદ્ધ ધર્મ દેશનાનું પ્રરૂપણ કરતો, ત્યારે લોકો તેને પૂછતા કે, “ત્યારે તમે પોતે કેમ તેવા ધર્મનું આચરણ કરતા નથી ?” તેના જવાબમાં તે કહેતો કે, "હું તે મેરુ સમાન ભારવાળા ચારિત્રને વહન કરવા સમર્થ નથી." એમ કહીને પોતાના સર્વ વિકલ્પ કહી બતાવતો હતો. એ પ્રમાણે તેમના સંશય દૂર કરીને પ્રતિબોધ પમાડેલ તે ભવ્ય જીવો જ્યારે દીક્ષા લેવા તૈયાર થતા, ત્યારે તેમને મરીચિ શ્રી યુગાદીશ પાસે જ મોકલતો હતો. આ પ્રમાણે આચાર પાળતો મરીચિ સ્વામીની સાથે જ વિહાર કરતો હતો. અનુક્રમે વિહાર કરતાં સ્વામી વિનીતા નગરીમાં સમવસર્યા.
ભરતચીએ આવીને પ્રભુને વંદના કરી. પછી ભવિષ્યમાં થનારા તીર્થંકર, ચક્વર્તી, વાસુદેવ વગેરેનું સ્વરૂપ પૂછ્યું, એટલે પ્રભુએ તે સર્વનું વર્ણન યથાસ્થિત કર્યું. ફરીથી ચીએ પૂછ્યું કે, "હે સ્વામી ! આ પર્ષદામાં કોઈ જીવ છે કે જે આ ભરતક્ષેત્રમાં આપના જેવા તીર્થંકર થવાના હોય ?” સ્વામી બોલ્યા કે, "આ તારો પુત્ર મરીચિ આ ભરત ક્ષેત્રમાં વીરનામે ચોવીસમા તીર્થંકર થશે તથા એ પૂર્વે આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થશે." તે સાંભળીને ભરતચક્રી મરીચિ પાસે જઈ તેને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને બોલ્યા કે, "તમારું આ પરિવ્રાજકપણું વંદન કરવા યોગ્ય નથી, પણ તમે ભાવિ તીર્થંકર છો, તેથી હું તમને વાંદું છું.” એમ કહીને પ્રભુએ કહેલ સર્વ વૃતાંત મરીચિને કહી બતાવ્યું, તે સાંભળીને મરીચિ મહા હર્ષથી પોતાની કાખલીનું ત્રણ વાર આસ્ફોટન કરીને ઊંચે સ્વરે બોલ્યો કે "હું પહેલો વાસુદેવ થઈશ, મૂકાનગરીમાં હું ચક્વર્તી થઈશ તથા છેલ્લો તીર્થંકર પણ હું થઈશ તેથી અહો મારું કુલ કેવું ઉત્તમ ?” વળી હું વાસુદેવોમાં પહેલો, મારા પિતા ચક્વર્તીમાં પહેલા, અને મારા પિતામહ તીર્થંકરોમાં પહેલા !! અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે ? ઇત્યાદિ આત્મપ્રશંસા અને અભિમાન કરવાથી તેણે નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.”
એકદા તે મરીચિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો, તેની સારવાર કોઈ સાધુએ કરી નહીં, તેથી તે ગ્લાનિ પામીને વિચાર કરવા લાગ્યો કે, "અહો ! આ સાધુઓ દાક્ષિણ્ય ગુણથી રહિત છે. મારી સારવાર તો દૂર રહી, પણ મારા સામું પણ જોતા નથી, પણ મેં આ ખોટો વિચાર કર્યો, કેમ કે આ મુનિજનો પોતાના દેહની પણ પરિચર્યા કરતા નથી, તો પછી મારી ભ્રષ્ટ ચારિત્રવાળાની સારવાર તો શેની જ કરે !